આજરોજ મોદી કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના લોકો માટે પણ આર્થિક રીતે આરક્ષણને મંજૂરી આપી દીધી છે. જેને લઇને સરકાર એક બિલ લાવી છે. જેને આજે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીની સાથે જ રાજ્યમાં આર્થિક રીતે નબળા સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં 10 ટકા આરક્ષણ મળવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
આ સિવાય આ કેબિનેટમાં ખેડૂતો લક્ષી પણ કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા. મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ઇસરો સાથે જોડાયેલ એક નિર્ણય થયો છે. આ સાથે જ ચીટફંડ (chit fund) બિલને પણ મંજૂરી આપવામાં આવી છે. 31.7.2019 ના રોજ યોજાયેલી મોદી સરકારની કેબિનેટ (modi government cabinet) બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
- જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલને મંજૂરી : આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણને મંજૂરી
- ખેડૂતો માટે મોટો નિર્ણય : ન્યૂટ્રિશનની રીતે જે ખેડૂતો ફર્ટિલાઇઝર સબસિડી મળતી હતી, તે વધારવાનો નિર્ણય લીધો છે. જેના માટે ખેડૂતોને 22875 કરોડની સબસિડી આપવામાં આવી છે જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
- ચિટ ફંડ બિલને કેબિનેટે મંજૂરી આપી છે. જેને રેગ્યુલર કરવા માટે બિલ લાવવામાં આવશે. જે મુદ્દે પહેલા એક બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકસભા પૂર્ણ થવાને કારણે હવે ફરીવાર આ બિલ લાવવામાં આવશે.
- શાંતિપૂર્ણ ઉદે્શો માટે બાહ્ય અંતરીક્ષ સંશોધન અને ઉપયોગમાં સહયોગ પર ISRO અને બોલિવિયન અંતરીક્ષ એજન્સી વચ્ચે સમજૂતી પત્રની મંજૂરી આપવામાં આવી છે.
- કેન્દ્રીય કેબિનેટ સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે.