મોદી સરકારે કેબિનેટના કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં 4 ટકાની મંજૂરી આપી છે. આ સિવાય કેબિનેટમાં કોરોના વાયરસને લઈને પાંચ મંત્રાલય રોજ ચર્ચા કરશે. કેબિનેટમાં YES બેંકના રિસ્ટ્રક્ચર પ્લાનને પણ મંજૂરી આપવામાં આવી છે.
મોદી સરકારનો મહત્વનો નિર્ણય
કેબિનેટે કર્મચારીઓ અને પેન્શનધારકોને આપી DA વધારવાની મંજૂરી
કોરોના પર 5 મંત્રાલય રોજ કરશે ચર્ચા
મોદી સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (ડીએ) વધારવાની મંજૂરી આપી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય, યસ બેંકની પુનર્ગઠન યોજનાને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે.
કોરોના વાયરસ સામે લડવા માટે લેવાશે આ પગલાં
સેન્ટ્રલ કેબિનેટની બેઠકમાં કોરોના વાયરસ સાથે કામ કરવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનને મંત્રીમંડળને કોરોના વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભારતે કોરોના સામે લડવામાં અને બચાવવામાં વિશ્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય અને નાણાં મંત્રાલયને મહત્વપૂર્ણ આદેશો આપવામાં આવ્યા હતા. તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોનાને લઈને અપડેટ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
શું હોય છે મોંઘવારી ભથ્થું?
સરકારી કર્મચારીઓનું જીવનધોરણ સુધારવા માટે ડેરિનેસ એલાઉન્સ આપવામાં આવે છે. છેલ્લા ઘણા દિવસોથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે કેન્દ્રીય કેબિનેટે 4 ટકા કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કર્યો છે.
માર્ચ મહિનાના પગારની સાથે આપવામાં આવશે DA
આ પહેલાં પણ રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકોરે જણાવ્યું કે માર્ચ મહિનાની સેલેરીની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થુ મળવા લાગશે.