પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળ આજરોજ યોજાયેલી કેબિનટે બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અંગેની કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણે માહિતી આપી હતી.
મોદી કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણય
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી જાણકારી
2 લાખ કરોડથી વધુની રકમ આપવાની કરી જાહેરાત
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિવાળી પહેલા આ ખૂબ જ અગત્વની બેઠક યોજાઇ છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, ઉત્પાદનના 10 ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. આ રકમ 2 લાખ કરોડથી વધુની કિંમત ધરાવે છે.
કેન્દ્રીય મંત્રીએ આપ્યું નિવેદન
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે આ નિર્ણય આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં લીધો છે. આ રકમ એડવાન્સ રસાયણશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક-ટેકનોલોજી પ્રોજેક્ટ, ઓટોમોબાઈલ પ્રોજેક્ટ, ટેલિકોમ નેટવર્કિંગ, ટેક્સટાઇલ, સોલર, એલઈડી અને એલઇડી સંબંધિત અન્ય ક્ષેત્રોને અપાશે.
આત્મનિર્ભર ભારતને લઈને લીધો નિર્ણય
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સરકારે આ નિર્ણય આત્મનિર્ભર ભારતને લઈને લીધો છે, સરકારનો પ્રયાસ દેશમાં રોકાણ કરવા અને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે.
દિવાળીની સરકારે આપી ભેટ
નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ, દિવાળીની સરકાર દ્વારા ઉત્પાદન ક્ષેત્રે આપવામાં આવેલ આ ભેટ છે. સરકાર તમામ ક્ષેત્રોની સાથે છે જેની જરૂર પડશે નીતિ આયોગ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક છૂટછાટોની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના સંકટ અને લોકડાઉનને કારણે, ઘણા ઉદ્યોગો પ્રભાવિત થયા છે, હવે જ્યારે તહેવારની મોસમ આવી ગઈ છે અને બધું ફરી શરૂ થવાનું શરૂ થયું છે, ત્યારે અર્થતંત્રએ વેગ પકડ્યો છે.