કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે IT હાર્ડવેર ક્ષેત્રમાં 17000 કરોડ રૂપિયાનાં ઉત્પાદન સાથે સંકળાયેલી PLI સ્કીમને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીમંડળની આજે થઈ બેઠક
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મહત્વપૂર્ણ જાહેરાત
મનસુખ માંડવિયાએ ખેતીક્ષેત્રને લઈને કરી ઘોષણા
કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે બેઠક કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં ઈલેક્ટ્રોનિક્સ નિર્માણનાં ક્ષેત્રમાં આ વર્ષે 100 બિલિયન ડોલરનું ઉત્પાદન થયું છે. આ સાથે જ ગતવર્ષે 11 બિલિયન ડોલરનાં મોબાઈલની રેકોર્ડ નિકાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે IT હાર્ડવેર ક્ષેત્રમાં 17000 કરોડ રૂપિયાનાં ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.
મોદી કેબિનેટની બેઠકમાં IT હાર્ડવેર સેક્ટર માટે PLI સ્કીમને મંજૂરી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છ વર્ષ માટે ચાલશે યોજના, કુલ 17 હજાર કરોડ રૂપિયા કરવામાં આવશે ખર્ચ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 17, 2023
1600 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું
તેમણે જણાવ્યું કે તેનાથી 2400 કરોડનું રોકાણ થવાની અને 75000 પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી ફાળવવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પહેલા વર્ષમાં ટેલીકોમ મેન્યુફેક્ચરિંગનાં ક્ષેત્રમાં 42 કંપનીઓએ 900 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું તેની જગ્યાએ આ વખતે 1600 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું છે.
ફર્ટિલાઈઝર સબસિડીને પણ મંજૂરી
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેબિનેટે ખરીફ સિઝન માટે 1.08 લાખ કરોડ રૂપિયાનાં ફર્ટિલાઈઝર સબસિડીને મંજૂરી આપી દીધી છે. દેશમાં 325થી 350 લાખ મેટ્રિક ટન યૂરિયાનો ઉપયોગ થાય છે. 100થી 125 લાખ મેટ્રિક ટન DAP અને NPKનો ઉપયોગ થાય છે. 50-60 લાખ મેટ્રિક ટન MOPનો ઉપયોગ થાય છે. ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે મોદી સરકારે સબસિડી વધારી છે અને રેટ વધાર્યા નથી. ખરીફ પાક માટે સરકારે નક્કી કર્યું છે કે ભારત સરકાર ખાતરની કિંમતો નહીં વધારે.