કેન્દ્રીય કેબિનેટે દેશ અને વિદેશમાં આતંકી મામલાની તપાસ કરતી એનન્સીને ખુલ્લો દોર આપી દીધો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને વધુ મજબૂત બનાવા માટે 2 કાયદાને સંશોધન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેબિનેટે ગેરકાયદે ગતિવિધિ કાયદામાં સંશોધનને મંજૂરી આપી છે, તેનાથી આતંકવાદ સાથે જોડાયેલા લોકોને આતંકી જાહેર કરી શકાશે. NIAએ કાયદામાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેથી કરીને એજન્સીને વધુ સશક્ત બનાવી શકાય.
શું કામ કરે છે NIA
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીના સંશોધન બિલ આવ્યા બાદ NIAની તાકાતમાં વધારો થશે. NIA એક્ટમાં કેટલાંય નવા ગુનાઓને સામે કરીને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવશે. આઇટી એકટ, 2,000ની કલમ 66ની અંતર્ગત નોંધાયેલા સાઇબર ટેરરિઝમની સાથે-સાથે કલમ 370 અને 371ની અંતર્ગત આવનાર માનવ તસ્કરી સાથે સંબંધિત IPC ગુનેગાર પણ સામેલ છે.
હવે શું કરી શકશે NIA?
જેમની મોટાભાગે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય લિંક હોય છે. NIAએ કાયદા અને ગેરકાયદે ગતિવિધિ કાયદાને સંશોધિત કરવા માટે આવનારા થોડાક દિવસમાં સંસદમાં અલગ-અલગ બિલ લવાશે. સંશોધન બિલના ડ્રાફ્ટ પ્રમાણે એજન્સીના મતે એજન્સીને કોઇ રાજ્યમાં સર્ચ માટે ટોચના પોલીસ અધિકારીની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.
જો કે NIAએને અત્યારે પણ તપાસ પહેલાં કોઇની પાસેથી મંજૂરી લેવાની જરૂર પડતી નથી. જ્યાં સુધી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાની આશંકા ન હોય. કોઇ પણ વ્યક્તિને આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કરવા પર તે કોઈપણ પ્રકારનો પ્રવાસ મંજૂરી વગર નહીં કરી શકે.
આવા લોકોના ફંડ અને બાકી સુવિધાઓ સુદ્ધાં સીમિતમાં પહોંચે છે. FATFના માપદંડ પ્રમાણે સભ્ય રાષ્ટ્રોના કાયદા, સંયુકત રાષ્ટ્રના કાયદાના અનુરૂપ હોવા જોઇએ જેમાં વ્યક્તિઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની જોગવાઇ હોય. આમ આ નવા સંશોધનની મદદથી તપાસ એજન્સીઓના હાથા લાંબા થશે અને તેઓ વધારે મજબૂતાઈથી કામગીરી કરી શકશે. .