એ સમયની માગ અને જરૂરિયાત પણ હતી કે કેન્દ્ર સરકાર વિવિધ નોકરીઓની ભરતી માટે લેવામાં આવતી અલગ અલગ પરીક્ષાઓનો િસલિસલો બંધ કરે. કેન્દ્રીય કેબિનેટે નેશનલ િરક્રૂટમેન્ટ એજન્સીની રચનાને મંજૂરી આપીને માત્ર કરોડો વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને જ રાહત આપી નથી, પરંતુ દેશનાં સંસાધનોની બરબાદી પણ અટકાવવાનું કામ કર્યું છે.
નરેન્દ્ર મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય
એક જ પ્રકારે લેવાશે પરીક્ષા
બેન્ક-રેલવે અને અન્ય સરકારી વિભાગો માટે વિદ્યાર્થીઓને અલગ અલગ પરીક્ષા આપવી પડતી હતી, જેનો કોઇ અર્થ નહોતો. તેમ છતાં આમ થઇ રહ્યું હતું. આ માટે લગભગ ર૦ જેટલી િરક્રૂટમેન્ટ એજન્સીઓ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરતી હતી. તેના કારણે વિદ્યાર્થીઓને પ્રત્યેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે માત્ર અલગથી તૈયારી જ કરવી પડતી નહોતી, પરંતુ તે બધા માટે વારંવાર અલગ અલગ ફી ભરવી પડતી હતી, જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓ પર બિનજરૂરી આર્થિક બોજ પડતો હતો.
ખરેખર નોકરીવાંછુ કરોડો યુવા ઉમેદવારોને પરીક્ષાના વિષચક્રમાંથી મુક્તિ અપાવતો આ નિર્ણય સરાહનીય છે.આ ઉપરાંત નોકરીવાંછુ ઉમેદવારોએ સતત ચિંતા કરવી પડતી હતી અને દરકાર લેવી પડતી હતી કે કઇ પરીક્ષા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. હવે નેશનલ િરક્રૂટમેન્ટ એજન્સીની રચના સાથે કરોડો નોકરીવાંછુ યુવાનોને આ બધી ઝંઝટમાંથી રાહત મળી ગઇ છે. આ રાહત કેટલી મોટી છે એ વાત પરથી સમજાશે કે કેન્દ્રીય સેવાઓની માત્ર ત્રણ ભરતી પરીક્ષામાં જ અઢી કરોડ ઉમેદવારો પરીક્ષા આપતા હતા.
નરેન્દ્ર મોદી કેબિનેટના આ અહમ નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. આ ઐતિહાસિક નિર્ણયથી નોકરીવાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંથી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે. યુવાનો વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહન ગણાવ્યો હતો.
નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રૂપ બી તેમજ ગ્રૂપ સી (બિનટેકનિકલ) પદ માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણાં મંત્રાલય-નાણાં સેવા વિભાગ, સ્ટાફ િસલેક્શન કમિશન, રેલવે િરક્રૂટમેન્ટ બોર્ડ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ િસલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે, જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે, પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.
આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બંને બચી શકશે. કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે રૂ.૧પ૧૭.પ૭ કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુંમથક દિલ્હીમાં સ્થપાશે.
આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાની વ્યક્તિની ચેરમેનપદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતાં જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે, જેમાં ઘણો સમય પણ લાગે છે.
એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે ૧,૦૦૦ જેટલાં પરીક્ષા કેન્દ્ર સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે, જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.