નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના ત્રણ વર્ષ પુરા થતા સરકારના વિકાસની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારના ત્રણ વર્ષના શાસન દરમિયાન દેશની રાજનીતિમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
શાહે કહ્યું કે દેશની રાજનીતિની દિશા અને દશા બદલાઇ છે. મોદી સરકારે પરિવારવાદ જાતિવાદ અને તુષ્ટિકરણને સમાપ્ત કરી દુનિયાભરમાં દેશનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા 70 વર્ષમાં વિકાસ માટે જે કામ નથી થઇ શક્યા હતા તે ત્રણ વર્ષના શાસન દરમિયાન પુરા કરાયા છે.