ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા બિન-કોંગ્રેસી વડા પ્રધાન અને દેશના ચોથા ક્રમાંકના સૌથી વધુ સેવા આપનાર પ્રધાનમંત્રી બની ગયા છે. વડા પ્રધાન તરીકેની સૌથી લાંબી સેવા આપનારાઓની યાદીમાં પંડિત જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંહનો સમાવેશ પ્રથમ ત્રણ ક્રમાંક ધરાવતી વ્યક્તિ તરીકે થાય છે. આ ત્રણેય કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન હતા. જ્યારે પીએમ મોદી ચોથા ક્રમે આવે છે અને તેઓ એક બિન કોંગ્રેસી વડાપ્રધાન રહ્યા છે.
PM મોદીએ રચી દીધો ઈતિહાસ
આજે 7મી વખત ધ્વજવંદન કરીને ચોથા ક્રમના વડાપ્રધાન બન્યા
PM મોદી બિન કોંગ્રેસી વડાપ્રધાનની હરોળમાં રહ્યા પ્રથમ
કોરોના સંકટમાં પણ પીએમ મોદીએ સંબોધન પહેલા ધ્વજ વંદન કર્યું. પીએમ મોદીએ ટ્વિટ કરીને 74મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે સ્વતંત્રતા પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા. તમામ સ્વતંત્રતા સેનાની નમન.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2020
પીએમ મોદીએ આજે સાતમી વખત કર્યું ધ્વજ વંદન
15 ઓગસ્ટે એટલે કે આજે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો ત્યારે એક નવો રેકોર્ડ બન્યો છે. આ વખતે સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન તરીકે તેઓએ સાતમી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો છે. આ સાથે, તે આઝાદીના પ્રસંગે ધ્વજારોહણ કરાવનારા વડાપ્રધાનોની સૂચીમાં પણ ચોથા ક્રમાંકે આવી ચૂક્યા છે.
आज़ादी का पर्व हमारे लिए आज़ादी के वीरों को याद करके नए संकल्पों की ऊर्जा का एक अवसर होता है। ये हमारे लिए नई उमंग, उत्साह और प्रेरणा लेकर आता है। अगला आज़ादी का पर्व जब हम मनाएंगे, तब हम 75 वें वर्ष में प्रवेश करेंगे। तो ये हमारे लिए बहुत बड़ा अवसर है: पीएम मोदी pic.twitter.com/ccQSVreiEj
ભાજપના નેતા અમિત માલવીયાએ ટ્વીટ કર્યું હતું કે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. તેઓ દેશના સૌથી લાંબી સેવા આપતા બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા છે.
Today, PM Narendra Modi becomes the fourth longest serving PM in the history of India!
He now also holds the distinction of being the longest serving non-Congress PM.
Vajpayee ji served for 2,268 days, with all his terms put together. Today PM Modi has surpassed that duration.
આ મામલે તેમણે ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના તમામ કાર્યકાળ દરમિયાન કુલ 2268 દિવસ સેવા આપી હતી. આજે વડા પ્રધાન મોદીએ તેમને પાછળ છોડી દીધા હતા."
15 ઓગસ્ટના દિવસે કયા વડાપ્રધાને કેટલી વખત રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રેકોર્ડ પંડિત નહેરુના નામે છે. વડા પ્રધાન તરીકે તેમણે લાલ કિલ્લા પરથી 17 વાર ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમની પાછળ ઇન્દિરા ગાંધી છે, જેમણે 11 વાર ધ્વજ ફરકાવ્યો હતો. તે જ સમયે, ડો.મનમોહનસિંહે વડા પ્રધાનપદે રહીને લાલ કિલ્લા પરથી સતત 10 વાર ત્રિરંગો લહેરાવ્યો છે.