શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને પ્રથમ દાન મળ્યું છે. રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારે સૌથી પહેલા દાન આપ્યું છે. કેન્દ્ર સરકારે ટ્રસ્ટને રોકડ રુપિયાનું દાન આપ્યું છે. જાણો કેન્દ્ર સરકારે ટ્રસ્ટને કેટલાં રુપિયાનું દાન આપ્યું છે.
'શ્રી રામ જન્મભમિ તીર્થક્ષેત્ર' ટ્રસ્ટની જાહેરાત થઈ હતી
ગઈકાલે 15 સભ્યો વાળા ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી હતી
રામ મંદિરનું પહેલું રોકડ દાન આવ્યું
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે PM મોદીએ લોકસભામાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગતી. જેમાં 9 સ્થાયી અને 6 નામિત સભ્ય હશે. 6 નામિત સભ્યોને બોર્ડ ઓફ ટ્રસ્ટ નામિત કરશે. આ 15 સભ્યોમાં એક દલિત સમાજના સભ્યોનો પણ સમાવેશ કરવાની વાત કરાયી છે.
જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે. હિંદુની આસ્થાના આ સ્થળના નિર્માણમાં પહેલું દાન આવી ચુક્યું છે. એ પણ રોકડ. આ દાન આપવાની શરુઆત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ટ્રસ્ટને 1 રુપિયાનું રોકડ દાન આપ્યું છે. જેને લીધે લોકોને ટોકન દાન કેન્દ્ર સરકાર તરફથી મળ્યાનો આનંદ છે. નોંધનીય છે કે અયોધ્યામાં મંદિર નિર્માણની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટનાં હાથમાં જ રહેશે. સરકાર હવે એમાં હસ્તક્ષેપ નહીં કરી શકે. મંદિર નિર્માણને લગતા સંપૂર્ણ નિર્ણયો ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે.
15 સભ્યો વાળા ટ્રસ્ટની જાહેરાત કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે અયોધ્યા વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. આ સાથે ટ્રસ્ટમાં અયોધ્યાના પૂર્વ શાહી પરિવારના રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, અયોધ્યાના હોમિયોપેથી ડોક્ટર અનિલ મિશ્રા અને કલેક્ટરને સ્થાન આપવામાં આવ્યું છે. તેમના સિવાય એક શંકરાચાર્ય સહિત 5 ધર્મગુરુઓને પણ ટ્રસ્ટમાં સ્થાન અપાયું છે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે અખાડાના મહંત દિનેન્દ્ર દાસને ટ્રસ્ટની મિટિંગમાં વોટિંગનો અધિકાર રહેશે નહી.