અમદાવાદના પીરાણા ખાતે RSSની બેઠકનો બીજા દિવસ છે. ત્યારે PM મોદી અને અમિત શાહ સંઘની બેઠકમાં ભાગ લઈ શકે છે.
ગુજરાતમાં RSSની બેઠકનો આજે બીજો દિવસ
સંગઠન વિસ્તાર સહિત અનેક મુદ્દે થશે ચર્ચા
RSSની બેઠકમાં PM મોદી અને અમિત શાહ થઈ શકે છે સામેલ
અમદાવાદ ખાતે RSS પ્રતિનિધિ સભાનો આજે બીજો દિવસ છે. એક તરફ ત્રિ-દિવસીય સંઘની બેઠક છે.તો બીજી તરફ PM મોદી અને અમિત શાહ બે દિવસ ગુજરાતમાં છે. ત્યારે PM મોદી અને અમિત શાહ સંઘની બેઠકમાં ભાગ લઈ શકે છે.
RSSની બેઠકમાં મોદી અને શાહ થઈ શકે છે સામેલ
અમદાવાદના પીરાણા ખાતે આયોજિત આ બેઠક ખૂબ જ મહત્વની મનાય છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહપ્રધાન અમિત શાહ બેઠકમાં સામેલ થઈ શકે છે.સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના પીરાણા ખાતે તાત્કાલિક હેલિપેડ બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરએસએસની આ બેઠક 13 માર્ચ સુધી ચાલવાની છે. જેમાં મોહન ભાગવત સહિતના રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો ભાગ લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી, મોહન ભાગવત અને અમિત શાહ અમદાવાદમાં ગુપ્ત બેઠક કરશે.
આ બેઠકમાં સંગઠન વિસ્તાર સહિત અનેક મુદ્દે થશે ચર્ચા
આ બેઠકમા સંઘના કાર્યનો આગામી બે વર્ષમાં કેવી રીતે વિસ્તાર કરવો, કયા વિસ્તાર કરવો અને તેને લગતી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં RSSથી જોડાયેલી 36 જેટલી સંસ્થાઓ જેવી કે, ભારતીય મજદૂર સંઘ, વિદ્યાર્થી પરિષદ, વન વાસી કલ્યાણ આશ્રમ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિધ્યા ભારતી અને વિશ્વ હિન્દૂ પરિષદ જેવી સંસ્થાઓ ભાગ લઈ રહી છે. 1988 માં સંઘની આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પ્રથમ વખત નાગપૂરની બહાર રાજકોટમાં કરવામાં આવ્યું હતું. અને હવે અમદાવાદમાં આયોજિત થઈ છે.