2014માં કેન્દ્રના રાજકારણમાં એન્ટ્રીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસની આગેવાની યુપીએ સરકારના આધાર કાર્ડ યોજનાના સૌથી મોટા વિરોધી હતા. સામાન્ય ચૂંટણીના સમયે પ્રચાર દરમિયાન તેઓ આધારને નિરાધાર અને યુપીએ સરકારનું રાજકીય નાટક બતાવ્યું હતું પરંતુ સત્તામાં આવતાની સાથે જ મોદીની વિચારસરણી બદલાઈ ગઈ અને તેઓએ આધારને એટલું મહત્ત્વ આપ્યું કે તેને દરેક જગ્યાએ ફરજિયાત કર્યું.
નરેન્દ્ર મોદીએ 2014માં 8 એપ્રિલે બેંગલુરુંમાં યોજાયેલ એક બેઠકમાં કહ્યું હતું કે 'મેં આધાર પર નેશનલ સિક્યોરિટીઝનો પ્રશ્ન ઉઠાવ્યો હતો જેનો મને કોઈ જવાબ મળ્યો નથી. આ રાજકીય નાટક છે.' તેના થોડાક દિવસો પછી મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા બાદ તેમણે આધારને અપનાવ્યું અને બધા માટે ફરજિયાત જાહેર કર્યું.
સતામાં આવ્યાના શરૂઆતના પાંચ મહિનામાં સરકારની સાત મોટી યોજનાઓને આધાર સાથે જોડવામાં આવી. જેમાં સરકારી ક્રમચારીઓની હાજરી પાસપોર્ટ સીમ બેંક ખાતા વગેરેનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો.
ત્યારબાદ ધીમે ધીમે આધારને લઈને માહોલ તંગ કરવામાં આવ્યો દરેક જગ્યાએ તેને ફરજીયાત કરવામાં આવ્યું. આધાર બનાવવા માટે લોકોને અઢળક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો.
હાલમાં કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીની અન્ય કલ્યાણકારી યોજનાઓ (પીડીએસ મનરેગા અને પેન્શન જેવી યોજના)ને આધાર સાથે લીંક કરવાની સમય મર્યાદા વધારીને 30 જૂન નક્કી કરવામાં આવી છે. પહેલાં આ સમય સીમા 31 માર્ચની હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના અધ્યક્ષપદના 5 ન્યાયમૂર્તિઓએ આધારની અરજીઓને લગભગ ચાર મહિના સુધી લંબાવ્યા બાદ આ મહિનાની 10 તારીખે ચર્ચા પૂર્ણ કરી. આ દરમિયાન 38 દિવસ સુધી તેની સુનાવણી કરવામાં આવી હતી હવે બધાની નજર કોર્ટના અંતિમ નિર્ણય પર ટકી છે