કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. જ્યારે મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી પીએમ મોદીની ધરપકડ વાત સાથે પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ છે. આ મામલે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ છે કે, પીએમ મોદી અને ભાજપે 2014માં પણ પાકિસ્તાનના નામે મત માગ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત પીએમ મોદી પાકિસ્તાનના નામે મત માગ્યા છે અને ભાજપે અફઝલ ગુરુને માનતી પાર્ટી PDP સાથે ગઠબંધન કર્યુ છે.
વધુમાં મોઢવાડિયાએ કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા શહીદ જવાનોના નામે મત માગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતા પીએમ મોદી શહીદ જવાનોના નામે મત માગી રહ્યા છે. આચારસંહિતનુ ઉલ્લંઘન થતા તેમની સામે કાર્યવાહી થઈ જોઈએ અને પીએમ મોદીની ધરપકડ કરવાની પણ મોઢવાડિયાએ માગ કરી છે.
તો બીજી તરફ અર્જૂન મોઢવાડિયા સામે ચૂંટણીપંચમાં ફરિયાદ મામલે તેમણે જણાવ્યુ કે, PM મોદીનું અપમાન ભાજપે કર્યુ અને આરોપ મારી પર મુકવામાં આવ્યો છે. પીએમ મોદીને એટલુ જ કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીમાંથી તેમણે કાંઈક શીખવુ જોઈએ.
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદી વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. અર્જુન મોઢવાડિયાએ ફર્સ્ટ વોટરને લઈને પીએમ મોદીએ કરેલી અપીલના પગલે આ ફરિયાદ નોંધાવી છે. મોઢવાડિયાની ફરિયાદ મુજબ, પીએમ મોદીએ કરેલી અપીલમાં સેનાના જવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ એરસ્ટ્રાઈક, પુલવામા હુમલો અને સેનાનો ઉલ્લેખ કર્યો હોવાના આરોપસર આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.