મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટવાસીને એરપોર્ટ જેવા અત્યાધુનિક બસ ટર્મિનલની ભેટ આપી છે. 156 કરોડના ખર્ચે તૈયાર થયેલું બસ ટર્મિનલનુ આજે સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે મુખ્યમંત્રીએ વધુ એક રાજકોટ માટે મોટી જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટનું અદ્યતન બસપોર્ટ બનવાયુ
સૌરાષ્ટ્રનું સૌથી આધુનિક બસપોર્ટ રાજકોટમાં તૈયાર
2 નવા બસ સ્ટેશનની જાહેરાત
આજે CM રૂપાણી રાજકોટની મુલાકાતે છે. તેઓ રાજકોટમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારે આ બસપોર્ટનું CM રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બસપોર્ટ 11,178 ચોરસ મીટરમાં તૈયાર થયેલું છે. જેમાં શોપિંગ મોલ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધાથી સજ્જ હશે.
બસપોર્ટમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં 300 કાર પાર્કિગ અને 1200 બાઇક પાર્કિગની પણ સુવિધા છે. બસ ટર્મિનલમાં હાલ રોજ 450 બસોનું આવન જાવન છે. ખાવા-પીવા, શોપિંગ સહિત 350થી વધુ દુકાનો પણ હશે.
બસ પોર્ટમા દરેક રૂટની બસોના ડિજિટલ બોર્ડ મૂકાશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બીજા અન્ય વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરાશે.
2 નવા બસ સ્ટેશનની જાહેરાત
રાજકોટ માટે CM રૂપાણી વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમણે નવા 2 બસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. ભાવનગર રોડ અને જામનગર રોડ પર બસ સ્ટેશન બનશે. જેમાં દર વર્ષે નવી 1 હજાર બસ સામેલ કરાશે જ્યારે દર વર્ષે જૂની 1 હજાર બસ દૂર કરવામાં આવશે.