સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં નદીઓને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરાયુ છે. ત્યારે મોડાસા ખાતે આવેલી માજુમ નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન મોડાસા નગર પાલિકા દ્વારા આજે હાથ ધરવામાં આવ્યું હતું.
જળ સંચય યોજના અંતર્ગત મોડાસાની માજુમ નદીને સ્વચ્છ બનાવવા માટે આજે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોડાસા નગર પાલિકા દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં શંકરભાઇ ચૌધરી અને દીપસિંહ રાઠોડ સહીત જિલ્લા સંગઠનના કાર્યકારો તેમજ નગરજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તરના મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ માજુમ નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.