અરવલ્લી: રાજ્યમાં તંત્ર દ્વારા મુસાફરી કરવા માટે STની સેવા શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ST અમારી સલામત સવારીના સ્લોગન આપવામાં આવ્યુ છે.
જોકે તંત્રના આ સ્લોગન બાદ રાજ્યમાં વારંવાર ST બસના અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં ST બસનુ ટાયર નિકળ્યું હતું. રાજકોટથી માંગરોળ જતી બસનું કેશોદમાં અકસ્માત થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં 25થી વધુ મુસાફરો સવાર હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ નથી. તો બીજી તરફ અરવલ્લીના મોડાસા નજીક રહેલ દધાલિયા રોડ પાસે ST બસ પલટી હતી. દુર્ઘટના સમયે બસમાં 80 જેટલા મુસાફરો સવાર હતા.
56ની બેઠકો ધરાવતી બસમાં 80 જેટલા મુસાફરો સવાર હતા તે પણ સવાલોની વણઝાર ઉભી કરે છે. આ બસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. રોડ પર સામેથી આવતી બાઇકને સાઈડ આપવા જતા બસ પલટી હતી. જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જનહાનિ થઈ નથી. બસ પલટી ખાતા મુસાફરોએ બૂમો પાડી હતી. મુસાફરોની બૂમો સાંભળતા પાસે આવેલા ગામના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા..
આપને જણાવી દઇએ કે એક તરફ સરકાર સલામત સવારી-એસ.ટી અમારીની વાતો કરી રહી છે ત્યારે આજરોજ રાજ્યમાં એસ.ટી તંત્રની બેદરકારી સામે આવતા સવાલોની વણઝાર સર્જીઅ હતી. જો કે આ ઘટના મામલે નિગમ દ્વારા કોઇ પ્રકારના તપાસણીના આદેશ આપ્યા હોય તેવું સામે આવેલ નથી.