મુંબઈના પોશ વિસ્તાર ઓશિવારમાં એક મોડલે આત્મહત્યા કરી લીધી છે. ઘટના લોખંડવાલાના કેનવુડ સોસાયટીની છે. મૃતક મોડલની ઓળખ પર્લ પંજાબી તરીકે થઈ છે.
મળતી માહિતી અનુસાર પર્લ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માગતી હતી. જોકે તેને સફળતા ન મળતાં પરેશાન હતી.
પોલીસનું માનીએ તો મોડલની માનસિક સ્થિતિ પણ યોગ્ય ન હતી. આત્મહત્યા પૂર્વે પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. પર્લનું એની માતા સાથે પણ બનતું નહતું. બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા.
પર્લ છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં પ્રભુત્વ જમાવવા પ્રયત્ન કરી રહી હતી, પરંતુ એને સફળતા મળી નહીં. પર્લની પર્સનલ લાઇફમાં પણ સમસ્યાઓ ચાલી રહી હતી. નિષ્ફળતાઓનો બોજ લઇને પર્લએ આત્મહત્યા કરી લી.
ઘટનાને લઇને બિલ્ડીંગ સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે, પર્લને ટેવ હતી કે મમ્મીને દેખાડવા માટે આવું કરતી હતી કે અહીંયાથી કૂદી જઇશ. બારીમાંથી કૂદી જઇશ. આજે ખબર નહીં શું થયું. હું જેવો ઉપર ગયો મે જોયું કે ટેરેસનો ગેટ ખુલ્લો છે. થોડોક બૂમો પાડવાનો અવાજ પણ આવી રહ્યો હતો. મને લાગ્યું કે રોડ પર કોઇ બૂમો પાડી રહ્યું હશે.
જણાવી દઇએ કે પર્લને તરત કોકિલાબેન હોસ્પિટલ જઇને એડમિટ કરવામાં આવી, પરંતુ ત્યાં સારવાર દરમિયાન એનું મોત થઇ ગયું.