નવો ફોન ખરીદતા જ મોટાભાગના લોકો ફોન પર ટેમ્પર્ડ લગાવી લે છે. કારણકે ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખી શકાય. પરંતુ એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, જે જાણે છે કે સ્ક્રીન ગાર્ડ મોબાઈલને નુકસાન પહોંચાડે છે.
ફોનની સ્ક્રીનને કેવીરીતે સુરક્ષિત રાખી શકાય?
ફોન પર સ્ક્રીન ગાર્ડ લગાવવાથી સેન્સર બ્લોક થાય છે
સેન્સર બ્લોક થવાથી ફોન કામ કરવાનું બંધ કરી દે છે
બ્લોક થાય છે સેન્સર
સ્ક્રીન ગાર્ડથી કોલિંગમાં તો મુશ્કેલી આવે છે, પરંતુ યૂઝર્સને એવો અનુભવ થાય છે કે તેનો ફોન ખરાબ થઇ ગયો છે. આજે અમે તમને જણાવીશુ કે આવુ કેમ થાય છે અને તેનાથી કેવીરીતે છૂટકારો મેળવી શકાય. નવા સ્માર્ટફોનમાં મોડર્ન ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની નીચેની બાજુ Ambient Light સેન્સર અને Proximity સેન્સર હોય છે. પરંતુ જ્યારે આપણે પોતાના ફોન પર સ્ક્રીન ગાર્ડ લગાવીએ છીએ ત્યારે આ સેન્સર બ્લોક થઇ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે ફોન કોલ દરમ્યાન સ્ક્રીન લાઈટ પરેશાન કરે છે. ફોનમાં વાત કરતા કરતા તમારા ફોનમાં કોઈ બીજી એપ ખુલી જાય છે. આ સિવાય ઓન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ થવાથી સ્માર્ટફોન અનલોક થવામાં મુશ્કેલી આવે છે. ફોનમાં અનલોક પણ ધીમે ખુલે છે.
આ મુશ્કેલીમાંથી કેવીરીતે બહાર નિકળશો?
હવે કેટલાંક લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો હશે કે આ સ્થિતિમાં શું કરવુ જેનાથી ફોનનું સેન્સર પણ બ્લોક ના થાય અને ડિસ્પ્લે પણ સુરક્ષિત રહે? આ મુશ્કેલી વધારે એવા સ્માર્ટફોનમાં આવે છે જેની પર હલકી ગુણવત્તાનું સ્ક્રીનગાર્ડ લગાવ્યું હોય છે. ભારતમાં તેની સંખ્યા ખૂબ વધારે છે. તેથી નિષ્ણાંતો હંમેશા એક સારી કંપનીનું પ્રોટેક્ટર ઉપયોગ કરવાની સલાહ આપે છે. હવે તમે જ્યારે પણ ફોન ખરીદો ત્યારે એ જ કંપનીનું સ્ક્રીન પ્રોટેક્ટર પણ ખરીદી લેજો. કારણકે કંપનીઓને ખબર હોય છે કે તેમણે સેન્સર ક્યા લગાવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને કંપનીઓ પ્રોટેક્ટર બનાવે છે.