દેશભરમાં લોકડાઉનના કારણે વેપાર-ઉદ્યોગને જબરદસ્ત ફટકો પડ્યો છે.ત્યારે દેશની ટેલિકોમ કંપનીઓ પણ તેમાંથી બાકાત નથી.રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી ટેલિકોમ કંપનીઓને લોકડાઉનને કારણે આંચકો લાગ્યો છે. છેલ્લા 11 દિવસમાં દેશમાં મોબાઇલ રિચાર્જમાં 35 ટકાનો ઘટાડો થયો છે.
કામદાર વર્ગના લોકો અત્યારે મોબાઈલ રિચાર્જ કરાવી શકતા નથી
કંપનીઓના નવા યુઝરબેઝમાં પણ ઘટાડો થયો છે
બીજી તરફ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિચર ફોન યુઝર્સની લગભગ અડધી સંખ્યા લોકડાઉનથી પ્રભાવિત છે. મોટે ભાગે કામદાર વર્ગના લોકો અત્યારે મોબાઈલ રિચાર્જ કરાવી શકતા નથી.કેમ કે ઘણા પાસે તેના પૈસા નથી અને મોટાભાગના લોકોને ઓનલાઇન રિચાર્જ કરતાં આવડતું નથી.
ટેલિકોમ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓફલાઇન રિચાર્જ શૂન્ય થઈ ગયું છે, કારણ કે વપરાશકર્તાઓ મોબાઇલ સ્ટોર અથવા નજીકના સ્ટોર પર જઈને ફોન રિચાર્જ કરાવી શકતા નથી. આ સાથે કંપનીઓના નવા યુઝરબેઝમાં પણ ઘટાડો થયો છે.
પ્રતિકાત્મક તસ્વીર
બીજી બાજુ, જો લોકડાઉન 14 એપ્રિલથી આગળ વધે તો કંપનીઓનનું નુકસાન હજુ વધવાની શકયતા છે. ટેલિકોમ કંપની વોડાફોન- આઈડિયાએ તેના ગ્રાહકો માટે વિશેષ સેવા રજૂ કરી છે. આ સેવા અંતર્ગત, વોડાફોન-આઇડિયાના ગ્રાહકો એટીએમથી તેમના મોબાઇલ નંબર રિચાર્જ કરી શકશે. આ સેવા માટે કંપનીએ એચડીએફસી , આઈસીઆઈસીઆઈ, એક્સિસ, સીટી બેંક, ડીસીબી, આઈડીબીઆઈ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક સાથે ભાગીદારી કરી છે એરટેલ ગ્રાહકો એટીએમ, કરિયાણા અને ફાર્મસી સ્ટોરથી તેમનો નંબર રિચાર્જ કરી શકશે. આ માટે એરટેલ દ્વારા એચડીએફસી, આઈસીઆઈઆઈ, બિગ બજાર અને એપોલો સાથે ભાગીદારી કરવામાં આવી છેઉલ્લ્ખનીય છે કે અત્યારે વધારે કરતાં મોટા ભાગે શહેરી વિસ્તારના લોકો મોબાઇલ રિચાર્જ કરાવી રહ્યા છે.