અમદાવાદની સાબરમતી જેલમાંથી ફરી મોબાઈલ મળી આવ્યા છે. નવી જેલના વીરભગતસિંહ યાર્ડમાંથી 1 સીમકાર્ડ અને 2 મોબાઈલ મળતા ફરી જેલતંત્ર પર સવાલ ઉઠ્યા છે. ગેંગસ્ટર વિશાલના ખંડણીના નેટવર્ક બાદ પણ મોબાઈલ મળી આવતા યોગ્ય તપાસની માગણી ઉઠી છે.
નવી જેલના વીરભગતસિંહ યાર્ડમાંથી મળ્યા મોબાઈલ ફોન
1 સીમકાર્ડ અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા
મોબાઈલ કેવી રીતે જેલમાં ઘૂસે છે તે સવાલ
વારંવાર મળી આવતા સવાલ ઉઠ્યા છે કે, શું જેલ તંત્ર આ અંગે સાવ અજાણ જ છે? જેલના અધિકારીઓની સંડોવણી વિના આ શક્ય છે? શું જેલમાં ચેકિંગ કરવામાં નથી આવતું? જેલના અધિકારીઓની કેદીઓ સાથે સાંઠગાંઠ છે? જેલમાં મોબાઈલ કેવી રીતે પહોંચે છે? કે પછી વારંવાર મળતા મોબાઈલ સામે જેલ તંત્ર લાચાર છે.
જેલમાં મોબાઇલ મળવા તે કોઇ મોટી વાત નથી, પરંતુ હાઇ સિક્યોરિટી ઝોન હોવા છતાંય મોબાઇલ કેવી રીતે ઘુસાડવામાં આવે છે અને 4જી જામર હોવા છતાંય તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે એક ચર્ચાતો સવાલ છે. આ મામલે અગાઉ જેલ અધિક્ષક મહેશ નાયકે જણાવ્યું હતું કે, જેલના તમામ '4જી' જામર વર્કિંગ કન્ડીશનમાં નથી. '4જી' જામર શરૂ કરવા માટે જેલ સત્તાવાળાઓને અનેકવાર પત્રો લખ્યા છે.
જેલમાં 2008થી 2જી જામર લાગેલાં હતાં, જોકે જમાનો 4જીનો આવી ગયો છે, જેથી 3જી અને 4જી સામે 2જીના જામરની ટેક્નોલોજી સંપૂર્ણ સુરક્ષિત નહીં હોવાનું ધ્યાને આવતાં જેલ સત્તાધીશો અને સુરક્ષા એજન્સીઓએ '4જી' જામર લગાવવાનો નિર્ણય લીધો હતો અને વર્ષ ર૦૧૭માં અંદાિજત રપ લાખ રૂપિયાના ખર્ચે સેન્ટ્રલ જેલ ફરતે 4જી જામર લગાવી દીધાં હતાં.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇ પૂરતું ધ્યાન આપી રહ્યું છે, પરંતુ જેલમાંથી અવારનવાર મળી આવતા મોબાઇલ ફોનના કારણે જેલ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી પર અનેક સવાલ ઊભા કર્યા છે.