આજના આધુનિક સમયમાં મોબાઈલની જરૂરીયાત વધી ગઇ છે. દુનિયામાં લાખો એવા લોકો છે, જેનું બધુ કામ મોબાઈલ પર થાય છે. આ સિવાય બાળકોના અભ્યાસથી લઇને દૂર બેઠેલા લોકો સાથે જરૂરી વાત કરવી, દરેક કામ માટે મોબાઈલ જરૂરી છે. પહેલા કીપેડ મોબાઈલનો પ્રયોગ થતો હતો અને ઈન્ટરનેટ માટે ફક્ત કોમ્પ્યુટર પર લોકો નિર્ભર થતા હતા.
મોબાઈલ ફોનના વધુ ઉપયોગથી પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઘટે છે
મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરશે તો લગ્ન જીવનમાં મુશ્કેલી ઉભી થશે
રિસર્ચમાં સામે આવ્યું, મોબાઈલ ફોનના ઉપયોગથી શુક્રાણુઓની સંખ્યા ઘટી
પરંતુ આજના આધુનિક સમયમાં કીપેડ મોબાઈલની જગ્યાએ સ્માર્ટફોન આવી ગયા છે. મોબાઈલના વધારે પ્રયોગથી નેટવર્કને પણ ફાસ્ટ કરવામાં આવ્યું છે, એટલેકે નેટવર્ક પ્રોબ્લમ ના થાય.
મોબાઈલ ફોન પુરૂષોના જીવનમાં આ મુશ્કેલી નોતરી શકે !
કેટલાંક લોકો મોબાઈલનો ઉપયોગ ફક્ત કામના કારણે કરે છે, તો અમુક લોકો મોબાઈલ ગેમ રમવા, ફિલ્મ જોવા, અભ્યાસ કરવો વગેરેમાં કરે છે. પુરૂષોનુ વધુ મોબાઈલ ચલાવવુ તેના લગ્ન જીવન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણકે હાલમાં થયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોનથી પુરુષોમાં વંધ્યત્વ આવી શકે છે. મોબાઈલના પ્રયોગથી પુરૂષોમાં શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા ઘટી રહી છે.
પુરૂષોએ મોબાઈલનો ઉપયોગ ઘટાડવો
દક્ષિણ કોરિયાના સંશોધકોએ 4280 શુક્રાણુના નમૂનાવાળી 18 રિસર્ચના વિશ્લેષણના આધારે સૂચન આપ્યું કે મોબાઈલમાંથી નિકળતી વિદ્યુત ચુમ્બકીય તંરગો સ્પર્મને નુકસાન પહોંચાડી રહી છે. તેથી પુરૂષોએ મોબાઈલનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ. શેફીલ્ડ વિશ્વ વિદ્યાલયમાં એન્ડ્રોલોજીના પ્રોફેસર અને શુક્રાણુ વિશેષજ્ઞ એલન પેસીએ આવા સંશોધનકારોના નિષ્કર્ષ પર સવાલ ઉઠાવ્યો છે અને જણાવ્યું કે શક્ય છે કે આધુનિક જીવન પુરૂષોના શુક્રાણુઓ માટે સારું ના હોય. પરંતુ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી કે મોબાઈલ ફોનના કારણે જ શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થઇ રહ્યો છે. આ રિસર્ચ છેલ્લાં 10 વર્ષોથી ચાલતી ચર્ચાને વધુ સ્પષ્ટ કરતી નથી. તેમાં પણ ખૂબ મૂંઝવણ છે અને આ એક વણઉકેલાયો પ્રશ્ન છે. પરંતુ જો પુરૂષ આ નિષ્કર્ષથી પરેશાન થાય છે, તો તેણે મોબાઈલનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ.
શુક્રાણુની સંખ્યાને યોગ્ય રાખવા મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડવો
તો પુસાન નેશનલ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક ડૉ. યુન હાક કિમે કહ્યું, જે પુરૂષ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે, તેણે પોતાના શુક્રાણુની ગુણવત્તા અને સંખ્યાને યોગ્ય રાખવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ. અત્યારની ડીજીટલ દુનિયામાં નવા મોબાઈલ ફોન મૉડલમાંથી નિકળતી વિદ્યુત ચુમ્બકીય તરંગોના સંપર્કમાં આવવાથી શું પ્રભાવ થાય છે. તેના પર વધુ અભ્યાસની જરૂર છે.