જો અત્યાર સુધી તમે તમારા આધાર કાર્ડની સાથે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરિફાઈ નથી કર્યું તો તરત જ કરી લેજો, કારણ કે આધારની ઓનલાઈન સેવાઓ અને આધાર સંબંધી અન્ય લાભ મેળવવા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવો જરૂરી છે. UIDAIએ આધાર દ્વારા મોબાઈલ નંબર અને ઈમેલનની વેરિફિકેશન પ્રોસેસને વધુ સરળ બનાવી દીધી છે.
UIDAIની આ સુવિધા હેઠળ તમે તમારા મિત્રો અને પરિવારજનોનું વેરિફિકેશન પણ સરળતાથી કરી શકશો. તેના માટે તમારે આધારની એપ m-aadhaar એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપમાં તમે વેરિફાઈ ઈમેલ અને મોબાઈલનો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરીને મોબાઈલ અને ઈમેલ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
આધાર યુઝર્સની સમસ્યાને દૂર કરવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 'Ask Aadhaar Chatbot'લોન્ચ કર્યું છે. તેના દ્વારા યુઝર્સ આધાર સાથે સંકળાયેલી ફરિયાદો અને સવાલના જવાબ મેળવી શકે છે. આ ચેટ ઈન્ટરફેસની જેમ કામ કરે છે. તે સવાલના જવાબ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી આપશે.