મોબાઈલ બ્લાસ્ટના અનેક કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે સુરતના ઉધનામાં મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેમાં મોબાઈલ યુઝરના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો. જો કે મોબાઈલ યુઝરને સામાન્ય ઈજા પહોંચી હતી. તો મોબાઈલ બ્લાસ્ટ થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આમ,મોબાઇલ બ્લાસ્ટથી જીવ પણ જઇ શકે છે. તો વધુ ચાર્જિગવાળી બેટરી ગમે ત્યારે બ્લાસ્ટ પણ થઇ શકે છે. મહત્વનું છે કે,મોબાઈલ ગ્રાહક માટે આફત બન્યો છે.