ઈન્ડોનેશિયામાં મગર કરડવાથી એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હતુ. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલી ભીડે બદલો લેવાની આગમાં લગભગ 300 જેટલા મગરોને મોતને ઘાટ ઉતારી દીધા. અધિકારીએ જણાવ્યુ કે મગરોને મારવાની આ ઘટના શનિવારે પાપુઆ પ્રાંતમાં મગરનો શિકાર થયેલા એક વ્યક્તિના અંતિમ સંસ્કાર બાદ બની હતી.
પોલીસ અને સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યુ કે 48 વર્ષીય સુગિટો પોતાના પશુઓ માટે ચારો શોધવા માટે ગયો હતો. તે સમયે તે મગરોના એક વાડામાં પડી ગયો. તે દરમ્યાન મગરે તેના પગને કરડી લીધુ અને એક મગરના પાછલા ભાગે ટકરાતા તેનું મોત નિપજ્યુ હતુ.
અધિકારીઓ જણાવ્યુ કે આવાસીય વિસ્તારની પાસે ફાર્મની ઉપસ્થીતીને લઈ ગુસ્સે ભરાયેલા સંબંધિઓ અને સ્થાનીકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્થાનીક સંરક્ષણ એજન્સીના પ્રમુખ બસર મનુલાંગે કહ્યુ કે તેમને જણાવાયુ હતુ કે ફાર્મ વળતર આપવા માટે તૈયાર છે.
અધિકારીઓએ જણાવ્યુ કે તેનાથી અસંતુષ્ટ ભીડ તીક્ષ્ણ હથીયારો લઈને ફાર્મ પર પહોંચી હતી અને ચાર ઈંચ લાંબા બાળકોથી લઈને બે મીટર સુધીના 292 મગરોને મારી નાખ્યા હતા. પોલીસ અને સંરક્ષણ અધિકારીઓનું કહેવુ છે કે તેઓ આ ભીડને રોકવામાં અસમર્થ હતા. અધિકારીઓએ કહ્યુ કે તેની તપાસ કરી રહ્યા છે અને કાયદાકીય આરોપો પણ નક્કી કરવામાં આવશે.