જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસથી એક 72 વર્ષના વ્યક્તિના મોત થયા બાદ તેમના અંતિમ સંસ્કાર સમયે હંગામો મચી ગયો. અંતિમ સંસ્કાર સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા. લોકો અહીં કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કારનો વિરોધ કરી રહ્યા હતા. સ્થિતિ એવી ઉભી થઇ કે મૃતકના પરિવારજનોને અર્ધ સળગેલા શબને લઇને ત્યાંથી ભાગવુ પડ્યું.
કોરોના વાયરસથી 72 વર્ષના વ્યક્તિના મોત બાદ તેમના અંતિમ સંસ્કાર સમયે ટોળાનો હંગામો
લોકો કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કારનો વિરોધ કરી રહ્યા હતા
આ મામલો જમ્મૂ કાશ્મીરનો છે. ડોડા જિલ્લાના રહેવાસી આ વ્યક્તિનું મોત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં સોમવારે થયું હતું. આ જમ્મૂમાં કોરોના વાયરસથી ચોથુ મોત છે. મૃતક વ્યક્તિના પુત્રે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અમે ડોમના વિસ્તારમાં અંતિમ સંસ્કારને લઇને તંત્રની મંજૂરી માંગી હતી. ત્યાં મેડિકલ ટીમ સિવાયલ અન્ય અધિકારીઓ હાજર હતા. પરંતુ અચાનક સ્થાનિય લોકોના એક ટોળાએ હુમલો કરી દીધો અને અંતિમ સંસ્કારની ક્રિયાને રોકી દીધી હતી.
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે અમે સરકાર પાસે પરવાનગી માંગી હતી કે તેઓ અંતિમ સંસ્કાર માટે મૃતદેહને પોતાના જિલ્લામાં લઇ જવા દેવાની પરવાનગી આપે. પંરતુ અમે કહેવામાં આવ્યું કે ડોમાના વિસ્તારમાં અંતિમ સંસ્કાર માટે તમામ જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરી લેવાઇ છે અને ત્યાં અંતિમ સંસ્કારમાં અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે.
યુવકનો આરોપ છે કે ઘટના સમયે ત્યાં બે પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા પરંતુ જ્યારે ટોળાએ હુમલો કર્યો તો બંને પોલીસ જવાનોએ તેમને રોકવા માટે કંઇજ ન કર્યું.
યુવકે કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને કેટલાક સ્ટાફે ત્યાંથી પાછા આવવામાં અમારી મદદ કરી. નોંધનીય છે કે આ ઘટના બાદ મૃતદેહને ભગવતી નગર વિસ્તાર સ્થિત શ્મશાન ઘાટ પર લઇ જવામાં આવ્યું. અહીં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને અન્ય મોટા અધિકારીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી.