કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં નાસિક મનસેના જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે માગ કરી છે કે, કેન્દ્ર સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ.
મનસેએ ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર
મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવાની માગ
પીએમ મોદીને પણ કરી આ અપીલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં નાસિક મનસેના જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે માગ કરી છે કે, કેન્દ્ર સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ. સાથે જ મહારાષ્ટ્ર સરકારને પણ મસ્જિદોમાં લાઉડસ્પિકર હટાવવા અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી
મનસે પ્રમુક રાજ ઠાકરે મહા વિકાસ અઘાડી સરકારને ચેતવણી આપી છે કે તે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવી દે. આવું નહીં કરવા પર મનસે કાર્યકર્તાઓ મસ્જિદની બહાર સ્પિકર લગાવશે અને હનુમાન ચાલીસા વગાડશે. રાજ ઠાકરેએ આ મદ્દાને એક સામાજિક ગણાવ્યો અને કહ્યું કે, તે આ વિષય પર પાછીપાની નહીં કરે. સાથે જ શિવસેના સરકારને જે પણ કરી શકતા હોવ તે કરવાની ચેલેન્જ આપી છે.
લાઉડસ્પિકર હટાવાની માગ
મનસે પ્રમુખે કહ્યું કે, મસ્જિદોમાં લાઉડસ્પિકર 3 મે સુધી બંધ કરી દેવામા આવે નહીંતર અમે હનુમાન ચાલીસા વગાડીશું. આ એક સામાજિક મુદ્દો છે. ધાર્મિક નહીં. હું રાજ્ય સરકારને કહેવા માગુ છું કે, આ વિષય પર પાછી પાની નહીં કરે. આપે જે કરવું હોય તે કરી લેજો.
આ ઉપરાંત રાજ ઠાકરેએ પ્રધાનમંત્રી મોદીને મુંબઈમાં મુસ્લિમ વિસ્તારમાં આવેલી મસ્જિદો પર દરોડા પાડવાની પણ અપીલ કરવામાં આવી છે. કહ્યું કે, ત્યાં રહેનારા લોકો પાકિસ્તાની સમર્થકો છે.
પીએમ મોદીને કરી આ અપીલ
તેમણે કહ્યું કે, હું પીએમ મોદીને મુસ્લિમ ઝૂંપડપટ્ટીઓમાં આવેલા મદરેસા પર દરોડા પાડવાની અપીલ કરવા માગુ છું. પાકિસ્તાની સમર્થકો આ ઝૂંપડીઓમાં રહે છે. મુંબઈ પોલીસ જાણે છે કે ત્યાં શું થઈ રહ્યું છે. આપણા ધારાસભ્યો વોટબેંક માટે તેમનો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી. પણ ધારાસભ્યો તેમને બનાવે છે.