મુંબઈ-અમદાવાદ હાઈવે પર મનસેના કાર્યકરોએ તોડફોડ કરી છે. મનસેના કાર્યકરોએ ગુજરાતી ઢાબા પર તોડફોડ કરી છે. મહત્વનુ છે કે મહારાષ્ટ્રમા નવનિર્માણના પ્રમુખ રાજ ઠાકરેએ ભાષણમાં PM મોદી પર નિશાન સાધ્યું હતુ.
ગતરાતે યોજાયેલ એક કાર્યક્રમમાં રાજઠાકરેએ આપેલ નિવેદન બાદથી મનપાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.અને મનસેના કાર્યકરોએ ગુજરાતીઓ પર નિશાન સાધીને પરેશાન કર્યા હતા. રાજ ઠાકરેના ભાષણ બાદ મનસેના કાર્યકરોએ મોડી રાત્રે મુંબઈ-અમદાવાદ પર આવેલા ઢાબાઓમાં તોડફોડ પણ કરી હોવાનું સામે આવેલ.
ઉલ્લેખનીય છે કે ગત મોડી સાંજે મહારાષ્ટ્ર નવનિર્માણના પ્રમુખ રાજ ઠાકરે PM મોદી પર પ્રહાર કર્યા હતા. રાજ ઠાકરે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યુ કે વિપક્ષી દળોને એક જુટ થવુ જોઈએ અને તેમણે 2019 સુધીમાં મોદી મુક્ત ભારત બનાવવા આહવાન કર્યુ છે.રાજ ઠાકરેએ મધ્ય મુંબઈમાં શિવાજી પાર્કમાં એક રેલીમાં પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યુ કે નરેન્દ્ર મોદી અને તેમની સરકારના ખોટા વચનોથી દેશવાસીઓ અકળાઈ ગયા છે.