થોડા સમયમાં મુંબઈ અને પુણેમાં આઈપીએલની મેચો શરૂ થઈ રહી છે, જો કે, તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી દિલ્હી કેપિટલ્સની બસમાં તોડફોડ કરતા પોલીસ એક્શનમાં આવી છે.
આઈપીએલ પહેલા માહોલ બગાડવાની કોશિશ
દિલ્હીની બસમાં એમએનએસ દ્વારા તોડફો઼ડ
પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ફરી એક વાર મરાઠી માનુસનો મુદ્દો ઉઠાવ્યો છે. આ વખતે મનસેએ આઈપીએલ મેચમાં ખેલાડીઓને લાવવા અને તેમને મુકવા માટે વપરાતી બસોમાં તોડફોડ કરી છે. આ ઘટના મંગળવાર રાતની છે. તોડફોડ બાદ મનસેએ બસો પર પોસ્ટર પણ લગાવ્યા હતા. એમએનએસનો આરોપ છે કે, મહારાષ્ટ્રના ટ્રાંસપોર્ટરોને તેનો કોન્ટ્રાક્ટ ન આપતા દિલ્હીના ટ્રાંસપોર્ટરોને તેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. મુંબઈની તાજ હોટલ પાસે ઉભેલી આ બસોમાં તોડફોડ કરવામા આવી હતી.
5 મનસેના કાર્યકર્તાઓની પોલીસે કરી ધરપકડ
IPL પહેલા દિલ્હી કેપિટલ્સની બસમાં તોડફોડના સમાચાર સામે આવ્યા હતા. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દિલ્હી કેપિટલ્સની ટીમની બસ પર હુમલો થયો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પાર્કિંગમાં ઉભેલી બસમાં તોડફોડ કરી હતી. ઘટના બાદ પોલીસે એક મામલો નોંધીને 5 મનસેના કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.
Mumbai | An FIR has been registered against 5-6 unknown persons under sections 143,147,149,427 of IPC for allegedly attacking the Delhi Capital IPL team parked bus, police said pic.twitter.com/aED8Z1Hd5G
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં બીએમસી સહિત કેટલીય મહાનગર પાલિકાઓ તથા નગર પરિષદની ચૂંટણી થવાની છે. ત્યારે આવા સમયે મનસે હાથમાં છટકી રેહલા મરાઠી વોટ બેંકને ફરીથી જોડવા માટે આ જૂનુ કાર્ડ ફેંક્યુ છે. આ મામલામાં મુંબઈ કોલાબા પોલીસ સ્ટેશનમાં પાંચથી છ અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ 144, 147, 149, 427 અંતર્ગત FIR નોંધવામાં આવી છે. પોલીસ આરોપીઓની શોધમાં લાગી ગઈ છે.
શું છે મામલો
આઈપીએલમાં સામેલ થનારા ખેલાડીઓને હોટલથી લઈ જવા અને લાવવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે. એમએનએસનો આરોપ છે કે, આ બસોને મહારાષ્ટ્રની બહારથી લાવવામાં આવી છે. રાજ્યના ટ્રાંસપોર્ટર્સને આ કામ નથી આપવામાં આવ્યું. આ વાતથી નારાજ મનસે કાર્યકર્તાઓ બહારથી આવેલી આ બસોમાં તોડફોડ કરી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પદાધિકારીઓએ પહેલા જ કેટલીય વાર આ માગણી કરી ચુક્યા છે કે આઈપીએલ દરમિયાન ખેલાડીઓને લાવવા અને લઈ જવા માટે સ્થાનિક પરિવહનની બસોને કામ આપવામાં આવે. માગને નજરઅંદાજ કર્યા બાદ આ પગલું ભર્યું હતું.
આગામી અઠવાડીયે શરૂ થશે આઈપીએલ
ઈંડિયન પ્રીમિયર લીગ 2022નું શિડ્યૂલ આવી ચુક્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે 26 માર્ચ પહેલા ટક્કર થવાનું નક્કી છે. આ ટૂર્નામેન્ટ મુંબઈના પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જે સાંજના 7.30 કલાકે શરૂ થશે. આઈપીએલનો અંતિમ મેચ પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.