મહારાષ્ટ્ર નવનિમાર્ણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે પોતાના જુના રંગમાં પાછા ફર્યા છે. પોતાના વિવાદીત નિવેદનો માટે જાણિતા રાજ ઠાકરે ગુરવારે કહ્યું છે કે, ભગવો મારા ડીએનએમાં છે. આ સાથે જ તેઓએ નાગરિકતા સંશોધન કાયદા (CAA)નું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘુસણખોરોને બહાર ફેંકી દેવા જોઇએ.
પાકિસ્તાન અને બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ 9 ફેબ્રુઆરીએ એક મોટી રેલી નીકાળવામાં આવશે
હું મરાઠી છું અને એક હિન્દૂ છું. મુસ્લિમ પણ આપણા છે : રાજ ઠાકરે
બાલા સાહેબ ઠાકરેની જયંતી પર પાર્ટીના ઝંડાના રંગને ભગવામાં બદલનારા રાજ ઠાકરેએ મુંબઇમાં કહ્યું કે ભગવા ઝંડો વર્ષ 2006થી મારા દિલમાં હતો. અમારા ડીએનએમાં ભગવો છે. હું મરાઠી છું અને એક હિન્દૂ છું. સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે, મુસ્લિમ પણ આપણા છે. તેઓએ આ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદો (CAA)નું સમર્થન કર્યું.
મનસે પ્રમુખે કહ્યું કે, હું હંમેશા કહેતો રહ્યો છું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘુસણખોરોને દેશથી બહાર ફેંકી દેવા જોઇએ. રાજનીતિમાં 13 વર્ષ બાદ મનસેએ ગુરુવારે મુંબઇમાં નવા ઝંડા, ચિન્હ અને નવી વિચારધારા સાથે નવી શરૂઆત કરી.
રંગ બદલનારી સરકારની સાથે નહીં
રાજ ઠાકરે ઘણી વાર પીએમ મોદીની ટીકા કરી ચૂક્યા છે. તેના પર તેઓએ કહ્યું કે મને જ્યારે લાગે છે કે, જે તેઓએ કહ્યું તે યોગ્ય નથી, તો હું તેમની ટીકા કરુ છું. પરંતુ જ્યારે તેઓએ સારા કામ કર્યા છે તો મેં પ્રશંસા પણ કરી છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર પર તેઓએ કહ્યું કે હું રંગ બદલનારી સરકારોની સાથે નથી જતો. રાજ ઠાકરેનું નિશાન શિવસેનાની તરફ હતો જેણે થોડા મહીના પહેલા કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી છે.
રાજ ઠાકરે એમ પણ કહ્યું કે, જે પાર્ટીઓએ સીએએ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે, તેમની પાર્ટી વિરુદ્ધ મનસે મોરચો ખોલશે. સીએએ વિશે તેઓએ કહ્યું કે, જે લોકો બહારથી ગેરકાયદાકીય રીતે આવ્યા છે, તેમને કેમ શરણ આપવી જોઇએ? રાજ ઠાકરે કહ્યું કે, આવનારા કેટલાક દિવસોમાં તેઓ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અથવા મુખ્યમંત્રીને મળશે અને તેમની સમક્ષ કેટલાક મુદ્દા ઉઠાવશે. ઘુસણખોરો પર નિશાન સાધતા રાજ ઠાકરે કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ 9 ફેબ્રુઆરીએ એક મોટી રેલી નીકાળવામાં આવશે.