MNS પ્રમુખ રાજ ઠાકરેને ઔરંગાબાદમાં સભા કરવાની પરવાનગી તો મળી ગઈ પરંતુ સાથે 16 શરતોનું પાલન પણ કરવું પડશે.
1 મેના રોજ ઔરંગાબાદમાં રાજ ઠાકરે સંબોધશે જાહેર સભા
16 શરતો સાથે રાજ ઠાકરેને સભાની મંજૂરી આપવામાં આવી
કોઈ વાંધાજનક અથવા નુકસાનકારક ટિપ્પણી કરવામાં ન આવે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને 1 મેના રોજ ઔરંગાબાદમાં સભા કરવાની પરવાનગી મળી ગઈ છે. જો કે, તેઓએ 16 શરતો સાથે સભાની મંજૂરી આપવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, મીટિંગમાં ભાગ લેનારા તમામ લોકોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ વાંધાજનક અથવા નુકસાનકારક ટિપ્પણી કરવામાં ન આવે.
રાજ ઠાકરે સમક્ષ મૂકવામાં આવી આ 16 શરતો
01-05-2022 ના રોજ સાંજે 5:30થી 09.45 દરમિયાન જાહેર સભા યોજાવવી જોઇએ. કાર્યક્રમના સ્થળ અને સમયમાં કોઈ જ ફેરફાર ન થવો જોઈએ.
સભામાં આવતા નાગરિકોએ શિસ્તનું પાલન કરવાનું રહેશે. તે સુનિશ્ચિત કરવાનું રહેશે કે મીટીંગમાં અથવા આવતી વખતે કોઈ વાંધાજનક અથવા નુકસાનકારક ટિપ્પણી કરવામાં ન આવે.
મીટીંગમાં આવતા તમામ વાહનોને પોલીસ દ્વારા નિર્ધારિત રીતે મુસાફરી કરવાની તેમજ રૂટમાં ફેરફાર ન કરવાની સૂચના આપવામાં આવે. વાહનોને શહેરોની અંદર નિર્ધારિત ગતિએ ચલાવવાના રહેશે. પાર્કિંગ નિર્ધારિત જગ્યાએ કરવાનું રહેશે. આયોજકોએ સભા સ્થળે આવવા-જવાના માર્ગમાં કોઈ જ રેલી યોજવી જોઈએ નહીં.
સભા દરમ્યાન કોઈ પણ હથિયાર, તલવાર, વિસ્ફોટક લાવવા નહીં અથવા તો દર્શાવવા નહીં અને ના તો આર્મ્સ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવું.
આ નિયમો વિશે મીટિંગમાં હાજર રહેલા નાગરિકોને જાણ કરવાની જવાબદારી આયોજકોની રહેશે.
આ કાર્યક્રમમાં સ્વયંસેવકોની નિમણૂંક કરવી જોઈએ. તેમના નામ, મોબાઈલ નંબર તેમજ ઔરંગાબાદ શહેરની બહારથી આમંત્રિત કરાયેલા નાગરિકોના વાહનોની સંખ્યા, તેમના આગમન અને પ્રસ્થાનનો માર્ગ, આવનારા લોકોની અંદાજિત સંખ્યા પોલીસ ઈન્સ્પેક્ટર સિટી ચોકને આપવી જોઈએ.
સભા સ્થળની બેઠક વ્યવસ્થા મહત્તમ 15000 છે, આથી 15000 થી વધારે લોકોને ત્યાં બોલાવવા જોઈએ નહીં.
સભામાં સુવ્યવસ્થા જાળવવા પોલીસે નિર્ધારિત સ્થળોએ મજબૂત બેરિકેડ લગાવ્યા. સભામાં આવતા દરેક નાગરિકની સુરક્ષા માટે પોલીસને યોગ્ય તપાસ કરવાનો અધિકાર છે.
મીટીંગ દરમિયાન જ્ઞાતિ, ભાષા, પ્રદેશ, જન્મ સ્થળ, ધર્મ વગેરેના આધારે તેમના દ્વારા પાલન કરવામાં આવતા રીતરિવાજોના આધાર પર કોઇ પણ વ્યક્તિ સમુદાયનું કોઇ પણ રીતે અપમાન નહીં કરવું જોઇએ. આયોજકોએ સાવધાન રહેવું જોઇએ અને કોઇ પણ કાર્યવાહી કે નિવેદન અથવા તો નારા ના લગાવો.
બેઠકમાં વપરાતા લાઉડસ્પીકરના સંબંધમાં માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરો. 1 મેના રોજ સાંજે (06.00 થી 22.00 કલાક સુધી) અવાજની મર્યાદા ઉપર મુજબ હોવી જોઈએ.
કાર્યક્રમ દરમિયાન બસ સેવા, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, મેડિકલ, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ડાયવર્ઝન જેવી આવશ્યક સુવિધાઓ ન ખોરવાય તેની કાળજી લેવી જોઈએ.
આ કચેરી દ્વારા સભાના દિવસે ટ્રાફિક નિયમો માટે મહારાષ્ટ્ર પોલીસ એક્ટ 1951 જાહેર કરવામાં આવ્યો છે. કલમ 36 હેઠળની સૂચના મીટિંગમાં હાજર રહેલા તમામ કન્વીનરો અને નાગરિકો માટે બંધનકર્તા રહેશે.
સભામાં ભાગ લેનારા પુરૂષો અને મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી અને અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા કરવી જોઈએ.
સભા માટે વપરાતી વિદ્યુત વ્યવસ્થા, બેરીકેટ્સ, મંડપ, લાઉડસ્પીકર સારી સ્થિતિમાં હોવા જોઈએ અને વિદ્યુત વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો વૈકલ્પિક વીજ વ્યવસ્થા (જનરેટર) ની વ્યવસ્થા અગાઉથી કરવી જોઈએ.
એ વાતનું ધ્યાન રાખવું કે જો કાર્યક્રમ દરમિયાન ભોજનનું વિતરણ કરવામાં આવે તો કોઈને પણ કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.
આ ઈવેન્ટના સુચારુ સંચાલન માટે તમારા પર લાદવામાં આવેલા ઉપરોક્ત નિયમો અને શરતોના ભંગના કિસ્સામાં ઈવેન્ટના તમામ આયોજકો અને વક્તાઓની સાથે હાલના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એ પણ ધ્યાનમાં રાખવું કે તેનો કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવશે.
30 એપ્રિલના રોજ ઔરંગાબાદ માટે જવા રવાના થશે રાજ ઠાકરે
રાજ ઠાકરે 29 એપ્રિલના રોજ મુંબઇથી પુણે પહોંચશે અને 30 એપ્રિલના રોજ સવારની મોટી સંખ્યામાં મનસે કાર્યકર્તા સાથે પુણેથી ઔરંગાબાદ માટે રવાના થશે. મનસેના પુણે શહેરના વરિષ્ઠ નેતા બાબુ વાગસ્કર દ્વારા મળેલી જાણકારી અનુસાર, રાજ ઠાકરેની સાથે પુણેથી ઔરંગાબાદ જતી વખતે 150થી વધારે વાહનો પણ સાથે રહેશે.