ભાવનગર MMSમાં નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના નાણાં ફસાયા છે. રૂ.76 કરોડ જેટલી રકમ લઇ ડાયરેક્ટરો ફરાર હોવાની માહિતી સામે આવી છે.
ભાવનગરની My Money Solution કંપનીના ઉઠામણાનો મામલો
કરોડો રૂપિયાના ઉઠામણા અંગે નોંધાઇ છે ફરિયાદ
કંપનીમાં ફ્રોડના ગુનાની તપાસ માટે SITની રચના
ભાવનગરની My Money Solution કંપનીના ઉઠામણાનો મામલે ફરિયાદ નોંધાઈ છે. કરોડો રૂપિયાના ઉઠામણા અંગે ફરિયાદ નોંધાઈ છે. કંપનીમાં ફ્રોડના ગુનાની તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ, જેતપુર, નડીયાદમાં ઓફિસ ખોલવામાં આવી હતી. નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના નાણાં ફસાયા છે. રૂ.76 કરોડ જેટલી રકમ લઇ ડાયરેક્ટરો ફરાર હોવાની માહિતી સામે આવી છે. રોકાણકારોની ફરિયાદ બાદ ભાવનગર SPએ તપાસ માટે SITની રચના કરી છે.
શું છે સમગ્ર મામલો
ભાવનગરમાં MMS નામની કંપનીનું ઉઠામણું થયું છે. જેમાં કરોડો રૂપિયા લોકોના ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. માય મની સોલ્યુશન નામથી આ કંપનીમાં હજારો લોકોએ રોકાણ કર્યું હતું. આ કંપની શેરબજાર અને અન્ય સ્કીમમાં રોકાણ કરતી હતી. કંપનીના એક ડિરેકટરના મૃત્યુ બાદ અન્ય બે ડિરેકટર ફરાર થઈ ગયા છે. ત્રણ પાર્ટનરમાં એક ઈન્દ્રજીતસિંહ ગોહિલ, ચિરાગ મહેતા, ચિરાગ ત્રિવેદીના નામ સામે આવ્યા છે. જેમાં એક પાર્ટનર ઈન્દ્રજીતસિંહ ગોહિલનું અવસાન થઈ ગયું છે.
કંપનીના ઉઠમણાની જાણ થતા મોટી સંખ્યામાં રોકાણકારો ઓફિસ પર પહોંચ્યા હતા. જ્યાં એક રોકાણ કારે જણાવ્યું કે, કંપની દ્વારા શેરબજાર, ફોરેક્ષ, ગોલ્ડ જેવા સેક્ટરમાં રોકાણ કરવામાં આવતું હતું. અને રોકાણકારોને પ્રોફિટ શેરિંગ આપવામાં આવતું હતું. લાભ પાચમના સમયમાં કંપની પાસે મોટું ભંડોળ આવ્યું હતું. જેના કારણે રોકાણ લેવાનું બંધ કરી દેવાયું હતું.
આ દરમિયાન એક પાર્ટનર ઈન્દ્રજીતસિંહનું અવસાન થયું. જે બાદ ઓફિસ ખુલતી નહોતી. જે બાદ રોકાણકારોએ ઈન્કવાયરી શરૂ કરી હતી. સાથે 4 મહિનાથી પ્રોફિટ શેરિંગનો ભાગ પણ મળતો નહોતો. આ કારણે રોકાણકારોએ પોતાના મુદ્દલની રકમ પરત માગણી કરી હતી. પરંતુ ઓફિસમાંથી વારંવાર વાયદા આપવામાં આવતા હતા.