મહારાષ્ટ્રમાં રાજનીતિક ગતિરોધ વચ્ચે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ભાજપને સમર્થનનું એલાન કરી ચુકેલા ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સમજવું જોઈએ કે કોઈ પણ પાર્ટીને જનાદેશ મળ્યો નથી. સંજય રાઉત ગમે તે કહે પણ લોકોએ ભાજપ શિવસેના ગઠબંધનને બહુમત આપ્યું છે.દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે અને તેના 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.
અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ સંજય રાઉતની પોપટ સાથે સરખામણી કરી
શિવસેનાના 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે: રવિ રાણા
રવિ રાણા અને તેમની પત્નીએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
અમરાવતીની બદનેરા સીટથી ધારાસભ્યનું નિવેદન
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વધુ ને વધુ વકરી રહ્યો છે.રાજ્યમાં કોણ મુખ્યમંત્રી બનશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે ત્યારે ભાજપ અને શિવસેના બંને પાર્ટીના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ પણ ચરમસીમાએ છે. શિવસેના પોતાનો મુખ્યમંત્રી બનાવવા જીદ કરી રહ્યું છે આ દરમિયાન જ અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું છે કે જો ભાજપ શિવસેના વગર સરકાર બનાવે તો 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના બદનેરા બેઠકથી અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું છે.
દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે
રવિ રાણાના પત્ની નવનીત કૌર રાણા લોકસભાના અપક્ષ સભ્ય છે, બંને પતિ-પત્નીએ મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલને મળ્યા બાદ રવિ રાણાએ દાવો કરતા કહ્યું કે જો નવી સરકારનું ગઠન શિવસેનાના સમર્થન વગર કરવામાં આવે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે અને તેના 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ
ભાજપ અને શિવસેના વચ્ચે સમજુતી ન થતા શિવસેના નેતા સંજય રાઉત દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે રવિ રાણાએ સંજય રાઉતને નિશાને લેતા સંજય રાઉતની સરખામણી પોપટ સાથે કરી. આ સિવાય તેમણે શિવસેનાને પણ છોડી ન હતી, શિવસેનાને ખુબ અહંકારી પાર્ટી ગણાવી હતી. રવિ રાણાએ કહ્યું કે 'ઉદ્ધવ ઠાકરે સમજવું જોઈએ કે કોઈ એક પાર્ટીને જનાદેશ નહિ મળે. સંજય રાઉત ગમે તે કહે, પણ લોકોએ ભાજપ શિવસેના ગઠબંધનને જ મત આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને નિયંત્રણમાં રાખવા જોઈએ તે ખુબ મોટા નિવેદનો કરી રહ્યા છે.
સાંસદ સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રના CM તો શિવસેનાના જ હશે, હંગામાનો સવાલ જ નથી
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ અને શિવસેનામાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર કહ્યું છે કે મુખ્યમંત્રી અમારો જ હશે. મંગળવારે રાઉતે કહ્યું, આપ જેને હંગામો કહી રહ્યા છો, તે હંગામો નથી, ન્યાય અને અધિકારની લડાઇ છે. મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.