વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય પોતાના નિવેદનને લઈને વિવાદોમાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત તેમણે વિવાદિત નિવેદન આપ્યુ છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક સભા દરમિયાન મતદારોને ધમકી આપી હતી. મધુ શ્રીવાસ્તવે એક સભા દરમિયાન જણાવ્યુ કે, આ વિસ્તારમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે.. સરકાર દ્વારા તેમને પાણી, લાઈટની સુવિધા આપવામાં આવે છે અને જો એ લોકો ભાજપને વોટ નહી આપે તો તેમની ખેર નથી. તેમણે તમામ બુથમા કમળના નિશાન પર મતદાન કરવા માટે લોકોને ધમકી આપી હતી. અને નરેન્દ્ર મોદીને ફરી એક વખત PM બનાવવા માટે જણાવ્યુ.