ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના ઉપવાસ કર્યા છે. આથી પાણી પુરવઠાના અધિકારીઓ પહોંચ્યા ધરણાના સ્થળે પહોચ્યા હતા. તેઓ માગ સંતાષાવાની હૈયાધારણ સાથે પુરવઠાના અધિકારીઓ વસોયાને પારણા કરાવ્યા હતા.
આ મામલે લલીત વસોયાનુ નિવેદન કર્યુ હતું કે ધોરાજી સહીત કુતીયાણાને પાણી આપવામાં આવે. લેખિતમાં આપેલી બાહેધરી ચકાસ્યા બાદ પારણા કરવા કે નહીં તે અંગે નિર્ણય કરીશું. અંતે તંત્ર દ્વારા ધારાસભ્ય વસોયાની માગણી સ્વીકારવામાં આવતા તેમણે ઉપવાસ પૂર્ણ કર્યા હતા.
તો આ તરફ પુરવઠા વિભાગના અધિકારીએ લેખિતમાં બાહેધરી સાથે જણાવ્યું હતું કે ધોરાજીના 30 તાલુકાનું પાણી શરૂ કરવામાં આવ્યુ છે. તાત્રિંક ખામી ન સર્જાય તો આ પાણી સતત ચાલુ રાખવામાં આવશે.
શુદ્ધ પાણીની માગ
રાજકોટના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા શુદ્ધ પાણીની માગને લઈને ઉપવાસ પર બેઠા હતા. ત્યારે હવે તંત્ર દ્વારા ભાદર ડેમનો વાલ્વ ખોલવામાં આવ્યો. ડેમનો વાલ્વ ખોલવામાં આવતા હવે લોકો સુધી પાણી પહોંચશે. ત્યારે હવે આ મામલે લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે કે, ઉપવાસ ચાલુ જ રહેશે.
પાઈપ લાઈનમાં ભંગાણ થતા પાણી ડાયવર્ટ કરવામાં આવ્યુ છે. નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થયુ છે. જેથી ધોરાજીમાં પાણી ડાયવર્ટ કરવામાં આવ્યુ છે. મહત્વનુ છે કે, ધોરાજી, માણાવદર અને કુતિયાણાના 60 ગામમાં પીવાના પાણીની સમસ્યા હોવાના કારણે લલિત વસોયા ઉપવાસ પર ઉતર્યા છે.
લલિત વસોયાએ ધોરાજી ડેપ્યુટી કલેકટર ઓફિસ સામે આમરણાંત ઉપવાસ કર્યા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા લલિત વસોયાએ ભાદર-2 ડેમનું પાણી પીવા લાયક નહી હોવાનો પત્ર સરકારને લખ્યો હતો. પત્રમાં ધોરાજીને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે માગ કરી હતી.