વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપમાં ઘટનાક્રમ બદલાય રહ્યો છે. હાલ સાવલીથી કેતન ઇનામદાર વડોદરા પહોંચ્યા છે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી પણ ભાદરવા પહોંચ્યા છે. નારાજ ધારાસભ્ય કેનત ઇનામદાર અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ શકે છે.
કેનત ઇનામદાર અને જીતુ વાઘાણી વચ્ચે થઇ શકે છે મુલાકાત
દ્વારકેશ લાલજી વૈષ્ણવજીના નિવાસસ્થાને થઇ શકે છે મુલાકાત
ધારાસભ્ય કેતન ઇનામદાર પહોંચ્યા વડોદરા
આજે બપોરે જીતુ વાઘાણી કેતન ઈનામદારને મળવાના હતા. પરંતુ જીતુ વાઘાણી માંદા પડતા મુલાકાત પર સસ્પેન્સ સર્જાયું હતું. ત્યારે હવે જીતુ વાઘાણી ભાદરવા પહોંચ્યા છે. બન્ને વચ્ચે દ્વારકેશ લાલજી વૈષ્ણવજીના નિવાસસ્થાને મુલાકાત થઇ શકે છે. પુત્રના લગ્ન પ્રસંગમાં મુલાકાત થઇ શકે છે.
મહત્વનું છે કે, કેતન ઈનામદારના પરિવારમાં વિધિના કારણે ગાંધીનગર નહીં જાય. ઇનામદારે આ અંગે વાત કરતા કહ્યું હતું કે, પરિવારમાં એક વિધિ કરવાની છે. કેટલો સમય લાગશે તે અંગે પરિવાર સાથે વાત કરીશ. પ્રમુખ જીતુ વાઘાણી સાથે વાત કરીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇનામદારના રાજીનામા બાદથી જ ભાજપ એક્શનમાં આવ્યું હતું. ગઇકાલે સાંસદ રંજનબેન ભટ્ટ તેમને મળવા પહોંચ્યા હતા. જ્યારે ભુપેન્દ્રસિંહ અને જીતુ વાઘાણી સહિતના નેતાઓએ પણ તેમની સાથે ટેલિફોનિક વાત કરી હતી. મુલાકાત અંગે ગઇકાલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે હું કેતન ઇનામદારને મળીશ. તેમની જે માંગ હશે તેને મુખ્યમંત્રી સમક્ષ રાખવામાં આવશે. જે ત્રૃટી હશે તે પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ઇનામદારે પણ આ અંગે જણાવ્યું હતું કે ભાજપના આગેવાનોએ મારી સાથે વાત કરી છે. મને ભાજપના મોવડી મંડળ પર ભરોસો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જીતુ વાઘાણી સાથે મુલાકાત બાદ કેતન ઇનામદાર માનશે કે કેમ...