એક તરફ લદ્દાખને લઈને સરહદ પર તણાવ ચાલી રહ્યો છે તો બીજી બાજુ રાજનીતિમાં આક્ષેપોએ હદ વટાવી દીધી છે. સેના પોતાના મોરચે લડવામાં સક્ષમ છે. સરકાર સતર્ક છે પરંતુ વિપક્ષ સરકારને ઘેરવામાં મસ્ત છે. ત્યારે આ મુદ્દા પર વીટીવી દ્વારા મહામંથન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી દેશની માફી માગે. ત્યારે આ મુદ્દે ભાજપના નેતા મહેશ કસવાલાએ પલટવાર કર્યો હતો.
ચીન પર કેમ થઈ રહ્યુ છે રાજકારણ?
સરકારને ઘેરવાની રાજનીતિ ક્યાં સુધી?
જીગ્નેશ મેવાણી અને ભાજપ નેતા વચ્ચે ઉગ્ર ચર્ચા
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વાત છે. જ્યાં સેનાને સરકારે ખુલી છૂટ આપી છે અને ચીનની ચંચુપાત સામે ગાળિયો મજબૂત કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અધ્યક્ષા સોનિયા ગાંધી મોદી સરકાર સામે સવાલ ઉઠાવે છે અને દેશની સરહદે જવાનો શહીદ કેવી રીતે થઈ ગયા તેના પર સવાલ ઉઠાવે છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોંગ્રેસના સવાલોનો સણસણતો જવાબ આપી દીધો હતો. તેમણે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા પડકાર પણ ફેંકી દીધો હતો. જોકે અહીં સવાલ એ થાય છે કે કેમ ચીન પર કરાઈ રહ્યુ છે રાજકારણ? આ મુદ્દા પર મહામંથન કરાયું ત્યારે આ કાર્યક્રમમાં જ વિપક્ષના જીગ્નેશ મેવાણી અને ભાજપના નેતા ઉગ્ર ચર્ચા કરવા લાગ્યા હતા.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વાર "PM દેશની માફી માગે" અને થયો પલટવાર