સુરતઃ વડનગરના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આજે સુરતની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર્પણ કર્યા હતા. સરકારને આડે હાથ લીધા હતા.
તેમજ સુરતના બુટલેગરોને આજે દારૂનો કાર્યક્રમ આગળ વધારમાની હિંમત નહીં થાય કારણ કે સુરતમાં આજે મારી એન્ટ્રી થઈ છે તેવું જણાવ્યું હતું.
તો મેવાણીએ એવું પણ કહ્યું હતું કે શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓના એડ્રેસ આપો અમે ત્યા પણ જઈને જનતા રેડ પાડીશું.
તો ગાંધીનગરમાં જિગ્નેશ અલ્પેશ અને હાર્દિકે પાડેલી જનતા રેડમાં નોંધાયેલી ફરિયાદને લઈને મેવાણીએ સરકારનો કટાક્ષમાં આભાર માન્યો હતો.
હાર્દિક અલ્પેશ અને મેવાણીએ કરી દારૂના અડ્ડા પર કરી હતી રેડ
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડ મામલે અલ્પેશ ઠાકોર જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે પાટનગર ગાંધીનગરમાં જનતા રેડ કરી હતી. આ ત્રણે નેતાઓએ ગાંધીનગરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.