અમદાવાદમાં એચ.કે.આર્ટસ કોલેજમાં થયેલો વિવાદ વકર્યો છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું. ભાજપ અને ABVPના નેતાને જિજ્ઞેશ મેવાણીએ ચીમકી આપી છે. ABVPથી થાય તે કરી લે તેવી ચીમકી આપી હતી. આચાર્ય હેમંત કુમારે લીધેલો નિર્ણય જીગ્નેશે સાહસિક ગણાવ્યો હતો.
આ મામલે વિરોધ કરતા પૂર્વ વિદ્યાર્થીએ મેવાણીની વિચારધારાનો વિરોધ કર્યો હોવાની સ્પષ્ટતા કરી છે. આગામી સમયમાં પણ આ રીતના કાર્યક્રમોનો વિરોધ કરવાની વાત કરી હતી.
મહત્વનું છે કે અમદાવાદનાં આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટસ કોલેજનાં આચાર્ય હેમંત શાહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
મળતી માહિતી મુજબ કોલેજમાં વાર્ષિકોત્સવનાં કાર્યક્રમ માટે ટ્રસ્ટે હોલ ન આપતા રાજીનામું આપ્યું છે. આ કાર્યક્રમમાં કોલેજ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જોકે જીગ્નેશ મેવાણી એચ.કે. કોલેજનાં વિદ્યાર્થી રહી ચૂક્યાં છે. હાલમાં તેઓ વડગામથી ધારાસભ્ય છે. ત્યારે કોલેજ તરફથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપવામાં આવતા ABVPએ ચીમકી આપી હતી.