વીરપૂરમાં સભા સંબોધન વખતે AAP પર વરસ્યા MLA જયેશ રાદડિયા, કહ્યું AAP કારખાનાના માલિકને ફોન કરીને રૂપિયા માગે છે
AAP પર જયેશ રાદડિયાના પ્રહાર
ગેરંટી કાર્ડ મુદ્દે પ્રહાર
'AAPની જ નથી ગેરેન્ટી'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો એક્ટિવ મોડમાં આવી ગયા છે. ત્યારે આજે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા આક્રમક મૂડમાં જોવા મળ્યા. વીરપુર ખાતે સંબોધન દરમિયાન તેમણે હુંકાર ભર્યો કે મારાથી મજબૂત MLA મળે ત્યારે તેને ચૂંટીને બેસાડજો. મારા જેવો મજબૂત ન હોય તો બીજાને ન બેસાડતા. આ નિવેદન સાથે જ જયેશ રાદડિયાએ જેતપુરમાં ફરી ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે. ભાજપમાં નો-રિપીટ થીયરીની ચર્ચા વચ્ચે રાદડિયાની ચેલેન્જની ચારેય કોર ચર્ચા થઈ રહી છે. પોતાના ગઢમાં બીજાને ન ચૂંટવાનો એટલે કે મજબૂત દાવેદારને ચૂંટી કાઢવાનો આગ્રહ કર્યો હતો.
AAP વાળા ગેરંટી લઈને નિકળ્યા છે પણ તેમની ગેરંટી કોણ આપશે: જયેશ રાદડિયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે AAP એડીચોટીનું જોર લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ એક બાદ એક વચનો આપી રહ્યા છે. ત્યારે હવે જેતપુરમાં ધારાસભ્ય જયેશ રાદડિયા AAP પર વરસ્યા હતા..જયેશ રાદડિયાએ કેજરીવાલની ગેરંટી પર પ્રહાર કર્યા. તેમને કહ્યું કે AAP વાળા ગેરંટી લઈને નિકળ્યા છે પણ તેમની ગેરંટી કોણ આપશે. અમારા આગેવાનો જ અમારી ગેરંટી છે. અમે વાયદા કર્યા એ અમારી ગેરંટી છે. જેની ખુદની ગેરંટી નથી એ ગેરંટી આપવા નિકળ્યા છે.
AAP પર ખંડણી ઉઘરાવવાનો આરોપ મૂક્યો
ભાજપ કે કોંગ્રેસે ખંડણી માટે ફોન કર્યો એવું બન્યું નથી. AAPમાં એવી ટોળી ભેગી થઈ છે, જે કારખાનેદારને ફોન કરીને તેની પાસેથી રૂ.10 લાખની માગણી કરે છે. હજી સત્તા શું છે એ જોયું નથી અને ખંડણીના ફોન કરે છે. તો સત્તામાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું?
2017માં કઠિન હતું પણ 25 મતથી તમે જીતાડયો
તેમણે વધુમાં કહ્યું હતું કે જનતા સાથે અમે પરિવારનો સંબંધ નિભાવવાના પ્રયાસ કર્યા છે. 2017ની ચૂંટણી મારા માટે અઘરી હતી. વિઠ્ઠલભાઈ બીમાર હતા. મારા માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરાઇ હતી. 2017 મને જેતપુર જામકંડોરણાએ 25 હજારની લીડ આપી હતી. હવે ફરી વખત ભાજપ જિતાડવાની જવાબદારી તમારી છે.