જશપાલસિંહ પઢીયાર અગાઉ ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ આ મામલે CMને પત્ર લખ્યો હતો
શાળાઓ મર્જ કરવાનો નિર્ણય
વધુ એક ધારાસભ્યની રજૂઆત
પાદરાના ધારાસભ્યએ DDOને પત્ર લખ્યો
શાળાઓ મર્જ કરવાના વિરોધમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો મેદાને આવ્યા છે ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે DDOને પત્ર લખી નિર્ણય પર ફેર વિચારણા કરવા માગ કરી છે.મહત્વનું છે કે ગ્રામજનોએ ધારાસભ્યને બાળકોને પડતી મુશ્કેલી રજૂઆત કરી હતી જે બાદ વધુ એક ધારાસભ્યએ શાળાઓ મર્જ ન કરવા પત્ર લખી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પાદરામાં 12 શાળાઓ મર્જ કરવા નિર્ણય લેવાયો છે ત્યારે પાદરા કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે DDOને પત્ર લખ્યો છે અને સાવલીના ગામો વચ્ચે અંતર વધુ હોવાથી શાળા મર્જ ન કરવાની માંગ કરી છે.
સાવલી ભાજપના MLA કેતન ઇનામદાર પર કરી ચૂક્યા છે વિરોધ
રાજ્ય સરકાર ધો.1થી 8ની શાળાઓ મર્જ સંખ્યા અને અંતરના આધારે મર્જ કરી રહી છે. ત્યારે જશપાલસિંહ પઢીયાર અગાઉ ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ આ મામલે CMને પત્ર લખ્યો હતો અને શાળાઑ મર્જ કરવામાં બાળકોને પડતી મુશ્કેલી અને ડ્રોપ આઉટ રેશિયો વધવાના ભયનો ચિતાર મુખ્યમંત્રીને પત્ર લખી રજૂ કર્યો હતો.
શું છે શાળાઑ મર્જ કરવાનો નિયમ
ધોરણ 1થી 8માં 60થી ઓછા વિદ્યાર્થીઓ હોય તો શાળા મર્જ કરવાનો નિયમ
1 કિમીની અંદર બીજી શાળા હોય ત્યાં મર્જ થાય શાળા
ધો.6થી 8મા 45થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળા કરાઇ રહી છે મર્જ
ધો. 6થી 8મા બીજી શાળા 3 કિમીની અંદરની શાળામાં મર્જ કરવાનો નિયમ
BRC કો-ઓર્ડિનેટર તાલુકાકક્ષાએ કામ કરતા શિક્ષણ વિભાગના અધિકારી હોય છે
ઓછા વિદ્યાર્થીઓવાળી કેટલીક શાળાઓ પર બંધ થવાનું જોખમ
રાજ્ય સરકાર દ્વારા ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓ મર્જ કરવાનુ ચાલુ પણ કરી દેવાયું છે જે માટે BRC કો-ઓર્ડિનેટર તાલુકાકક્ષાએ કામ કરતા શિક્ષણ વિભાગના અધિકારી હોય છે જે શિક્ષણ વિભાગને મર્જ કરવા અંગે જાણ કરે છે. જે બાદ શાળાને મર્જ કરી દેવામાં આવે છે જેનો અનેક ધારાસભ્યો વિરોધ કરી રહ્યા છે. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો વધવાનો ભય સતાવી રહ્યો છે, ગામો વચ્ચે અંતર વધુ હોવાથી જો શાળા મર્જ થાય તો બાળકોને અને વાલીઓને વધુ પરેશાનીનો સામનો કરવો પડે તેમ છે, ત્યારે જોવું રહ્યું કે ધારાસભ્યોની રજૂઆત બાદ સરકાર શાળા મર્જ મામલે ટસની મસ થાય છે કે નહીં