મહારાષ્ટ્ર સરકારના નિર્ણયના ગુજરાતમાં પડઘા પડ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું છે. ત્યારે તેની અસર ગુજરાતમાં જોવા મળી છે. ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવા માટે માગણી કરવામાં આવી છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવા અંગે માગ ઉઠાવી છે. ત્યારે બીજી તરફ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ ખેડૂતોની દેવામાફી અંગે અવાજ ઉઠાવ્યો છે.
આર્થિક બોજના કારણે ખેડૂત બન્યો પાયમાલઃ રિબડીયા
દેશના કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયાઃ રિબડિયા
કિસાન દિવસે સરકાર ખેડુતોના દેવા કરો માફ : રિબડિયા
આજના ખેડૂત દિવસે ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે ખેડૂતોના દેવા માફ કરવા અંગે CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. રિબડિયાએ કહ્યું કે, દેશમાં ખેડૂતોના દેવા માફ થયા છે ત્યારે ગુજરાતના ખેડૂતોના દેવા કેમ માફી નથી થતા. આજે ખેડૂત દિવસે દેવા માફીની જાહેરાત કરવામાં આવે.
પત્રમાં MLA રિબડિયાએ જણાવ્યુ છે કે આર્થિક બોજના કારણે ખેડૂત પાયમાલ થયા છે. તેમજ દેશના કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયા છે. તો આ કિસાન દિવસે સરકાર ખેડુતોના દેવા માફ કરે તેવી પત્રમાં માંગ કરી છે.
રિબડીયાએ પત્રમાં ખેડૂતોની સમસ્યાઓ અને પાક વિમા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે, જૂનાગઢ અને રાજ્યના ખેડૂતો દેવામાં દબાયા છે. ત્રણ વર્ષ ઓછો વરસાદ અને ગત ચોમાસામાં અતિ ભારે વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે છતા ગુજરાત સરકારે પાકવિમા અંગે કોઇ કાર્યવાહી કરી નથી.