રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિરૂદ્ઘ કરાયેલી લેખિત ફરિયાદના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યાં છે
રાજકોટ પોલીસ કમિશનર આક્ષેપ સામે MLA ગોવિંદ પટેલનું મોટું નિવેદન
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને SOGનું વિસર્જન થયું - ગોવિંદ પટેલ
સારા અધિકારી આવશે તો ભ્રષ્ટાચાર પર ગાળિયો કસાશે
રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને SOG પર તવાઈ બોલાવવામાં આવી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને SOGના તમામ પોલીસકર્મીઓની સાગમટે બદલી કરવામાં આવી. બીજી તરફ આ મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ મામલે તપાસ રિપોર્ટ આવ્યાં પછી કડક પગલાં લેવાશે. તેમણે ઉમેર્યું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને SOGનું વિસર્જન થયું છે. ગૃહ વિભાગે બદલીનો આદેશ કર્યો છે.
સારા અધિકારી આવશે તો ભ્રષ્ટાચાર પર ગાળિયો કસાશે
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમને સરકારમાં વિશ્વાસ છે કે, પોલીસ અધિકારી સામે આકરા પગલા લેવાશે. હાલ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત થયો નથી. પરંતુ વધારાની માહિતી પણ આપવામાં આવી છે. રિપોર્ટ બાદ સરકાર વધુ પગલા ભરશે. હાલ સરકાર પગલા ન લે ત્યાં સુધી અનુમાન ન કરાય. સારા અધિકારી આવશે તો ભ્રષ્ટાચાર પર ગાળિયો કસાશે
આ કેસની તપાસ વિકાસ સહાયને સોંપવામાં આવી છે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિરુધ્ધ ફરિયાદ કરી હતી. જેના પગલે ગૃહ વિભાગ દ્વારા તપાસ સમિતિ રચી તપાસ વિકાસ સહાયને સોંપવામાં આવી છે. આ તપાસ દરમિયાન આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને SOGમાં ફરજ બજાવતા 8 PSIની રાજ્યના પોલીસ વડા દ્વારા રાજકોટ બહાર અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે.