રાજનીતિથી પર થઈ પક્ષ-વિપક્ષથી ઉપર ઉઠીને સમર્થન કરુ છું
ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી આંદોલનની લહેર જામી છે. રાજ્યના સરકારી કર્મચારીઑ અનેક મંડળોના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે. તેવામાં રાજ્યમાં સરકારી કર્મીઓ પોતાની માંગોને લઇને વિરોધનાત્મક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે અંબરીષ ડેરે આ કર્મચારીઑને સમર્થન આપ્યું છે. આ મામલે રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેરે કર્મીઓને લખ્યો ખુલ્લો પત્ર લખ્યો છે.
સરકાર સમાધાનની ભ્રામક ગાથાઓ ગવડાવી રહી છે: ડેર
રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેરે લેખિત પત્રમાં જણાવ્યું કે રાજનીતિથી પર રહીને અને પક્ષ-વિપક્ષથી ઉપર ઉઠીને કર્મચારીઑને સમર્થન કરુ છું. વધુમાં તેમણે ઉમેર્યું કે, શિક્ષકો સાથે સંવાદને સ્થાને આંદોલનકારીઓને વિભાજિત કરવાના પેંતરા રચવામાં આવી રહ્યા છે. વધુમાં સરકાર સમાધાનની ભ્રામક ગાથાઓ ગવડાવી રહી હોવાનો પર અંબરીષ ડેરે દાવા કર્યો હતો. એટલું જ નહિ ગુજરાતના ભવિષ્યનો નકશો કંડારનાર સામે આવી જીદ કેમ ? તેવો અણીયારો સવાલ અમરીષ ડેરે કર્યો હતો. આગામી સમયમાં રાજ્યભરમાં જ્યાં તક મળશે ત્યાં કર્મીઓના અધિકારો માટે પ્રવૃતિ કરવાની પણ તેઓએ ખાતરી આપી હતી.
સત્તાધીશોને સુત્રોચ્ચારની વેદના સંભળાતી નથી
ખેડૂતો, શિક્ષકો, પોલીસકર્મી, વનકર્મી, VCE, આંગણવાડીની બહેનો, કંડક્ટરો, આરોગ્યકર્મી, આઉટસોર્સના કર્મીના આંદોલન ચાલી રહ્યા છે. પોતાની માંગને લઈને મહિલાઓ ટ્રેક્ટર ભરીને તાપમાં રેલીઓ કાઢી રહી છે. સત્તાધીશોને સુત્રોચ્ચારની વેદના સંભળાતી નથી. ખેડૂતો ઉપરાંત પૂર્વ સૈનિકોના આંદોલનમાં એક વડીલનું મૃત્યુ થયું છે જે દુ:ખદ બાબત છે. જે તમામને ન્યાય મળે તે જરૂરી છે તેમ અંતમાં અંબરીષ ડેરે જણાવ્યું હતું.