દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા લાગુ કરવામાં આવેલ લાંબુ લોકડાઉનથી આજથી જ ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યું છે. આજથી દેશનાં કેટલાય રાજયોમાં ધાર્મિક સ્થળ અને મોલ પણ ખોલી દેવામાં આવ્યા છે ત્યારે મિઝોરમમાં ફરીવાર લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મિઝોરમમાં બે સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન
રાજ્યના CMએ બેઠક બાદ લીધો નિર્ણય
ટૂંક સમયમાં જાહેર થશે ગાઈડલાઈન
નવમી જૂનથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન
મિઝોરમમાં કોરોના વાયરસની હાલની પરિસ્થિતિને જોતા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિઝોરમ સરકાર દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજ્યનાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં કોરોના વાયરસની હાલની પરિસ્થિતિને જોતા નવમી જૂનથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવમાં આવી રહ્યો છે. લોકડાઉન માટેની ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
📌Total Lockdown for 2 weeks starting midnight tonight!
📌Quarantine period : 21 days
📌Home quarantine option will be limited to only extreme unavoidable cases.
📌Updated guidelines to follow soon...#Mizoram#MizoramagainstCovid19
કોરોના વાયરસની પરિસ્થિતિને જોતા આ બેઠકમાં બીજા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં કૉરોન્ટાઈનના પિરિયડમાં વધારો કરવામાં આવ્યો. રાજ્યમાં હાલમાં કૉરોન્ટાઈનનો સમય 14 દિવસ છે જેન તાત્કાલિક ધોરણે વધારીને 21 દિવસનો કરવામાં આવે છે. આટલું જ નહીં હોમ કૉરોન્ટાઈનના નિયમો પણ કડક કરી દેવામાં આવ્યા છે.
દેશભરમાં મળી રહી છે છૂટછાટ
એક તરફ જ્યાં મિઝોરમમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યાં બીજી તરફ દેશમાં અનલોક-1 હેઠળ વિવિધ છૂટછાટ આપવામાં આવી રહી છે. આજથી દેશમાં કેટલાય ધાર્મિક સ્થળો ખુલી ગયા જ્યાં પહેલા જ દિવસે શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી. એકબીજાથી સામાજિક અંતર રાખીને વિવિધ છૂટછાટ મળી રહી છે.
કોરોના વાયરસ 42 કેસ નોંધાયા છે
નોંધનીય છે કે મિઝોરમમાં અત્યાર સુધી 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી એક જ દર્દી સાજો થયો છે અને 41 એક્ટિવ કેસ છે ત્યારે પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા બેઠક કરવામાં આવી. આ બેઠકમાં વિવિધ હોસ્પિટલના પ્રતિનિધિ, ટાસ્કફોર્સ, એનજીઓના સદસ્યમ ગ્રામ પંચાયતના સદસ્યો પણ સામેલ થયા હતા.