સીમા વિવાદના કારણે મિઝોરમ ફ્યૂઅલ ક્રાઈસિસનો શિકાર બન્યું છે. સ્થિતિને જોતા અહીં કાર અને બાઈક તથા હેવી વ્હીકલ્સને માટે કેપિંગ નક્કી કરાયું છે.
આ કારણે અહીં પેટ્રોલ અને ડીઝલની સર્જાઈ ક્રાઈસિસ
સીમા વિવાદના કારણે મિઝોરમ ફ્યૂઅલ ક્રાઈસિસનો શિકાર બન્યું
કાર અને બાઈક તથા હેવી વ્હીકલ્સને માટે કેપિંગ નક્કી કરાયું
સીમા વિવાદના કારણે મિઝોરમ ફ્યૂઅલ ક્રાઈસિસનો શિકાર બન્યું છે. જેના કારણે અહીં કાર અને બાઈકને માટે અનુક્રમે 10 અને 5 લિટરનું કેપિંગ કરાયું છે. આ સિવાય હેવી વ્હીકલ જેમકે ટ્રક માટે 50 લિટર અને મીડિયમ વ્હીકલ માટે 20 લિટરની મર્યાદા રખાઈ છે.
આ કારણે વધી છે મુશ્કેલી
આસામની સાથે સીમા વિવાદની વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 306 પર ઈંધણ લઈ જનારા વાહનોની આવન જાવન બંધ રહેવાની સાથે મિઝોરમ સરકારને પેટ્રોલ અને ડિઝલના નિયંત્રણ વિતરણના આદેશ આપ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા આદેશમાં કહેવાયું છે કે રાજ્ય ઈંધણના સંકટથી લડી રહ્યું છે. સીમા વિવાદ તેનું મુખ્ય કારણ છે. ઈંધણ પાડોશી રાજ્યના રસ્તેથી મિઝોરમ પહોંચે છે.
દરેક ફિલિંગ સ્ટેશનને મિઝોરમ સરકારે આપ્યા ખાસ આદેશ
મિઝોરમ સરકારે પોતાના આદેશમાં કહ્યું કે દરેક ફિલિંગ સ્ટેશનને આદેશ અપાયો છે કે કોઈ પણ વાહનને નિર્ધારિત પ્રમાણથી વધારે પેટ્રોલ કે ડીઝલ અપાશે નહીં. કાર અને બાઈકને માટે અનુક્રમે 10 અને 5 લિટરનું કેપિંગ કરાયું છે. આ સિવાય હેવી વ્હીકલ જેમકે ટ્રક માટે 50 લિટર અને મીડિયમ વ્હીકલ માટે 20 લિટરની મર્યાદા રખાઈ છે.
સ્કૂટરમાં વધુમાં વધુ 3 લિટર અને કારમાં 10 લિટરની મર્યાદા છે
આદેશમાં કહેવાયું છે કે સ્કૂટર માટે 3 લિટર અને અન્ય દ્વિચક્રી વાહનો માટે 5 લિટરની મર્યાદા છે. કાર માટે 10 લિટરની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બોરીઓ, તેલ અને રસોઈ ગેસ લઈ જનારા ટ્રકને પણ ઈંધણની મંજૂરી મળી છે. ફિલિંગ સ્ટોશનોથી કંટેનર્સ અને ગેલન બેરલમાં ઈંધણ લેવા પર પણ રોક લગાવાવમાં આવી છે.
ટેન્કર હડતાલ પરત લેવાઈ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા નવા પરિવહન દરને ટાળ્યા બાદ ઈંઘણ ટેન્કરની હડતાલને પરત લેવાઈ છે. આ હડતાલ ગુરુવારે શરૂ થઈ હતી અને શનિવારે પૂરી કરાઈ છે. તેનાથી દ. બંગાળના સેંકડો પેટ્રોલ પંપ પર ઈંધણ સંકટ જોવા મળ્યું છે. ડીલરે કહ્યું કે કોલકત્તા સહિત દ. બંગાળના સેંકડો પંપ પર ઈંધણ ખતમ થયું છે.
લગભગ 1000 પેટ્રોલ પંપ થયા છે પ્રભાવિત
હાવડામાં IOCના મૌરીગ્રામ ડેપોના ટેન્કર સંઘની હડતાલ બાદ સંકટ ઘેરાયું હતું. IOCના હાલના દર કાયમ છે અને વાતચીતની સાથે આપૂર્તિ પણ ચાલુ રાખવા કહેવાયું છે. IOCના પ્રવક્તાએ કહ્યું કે હડતાલ પરત લેવાઈ છે. આ સાથે તેઓએ વાતચીતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. હડતાલથી 900-1000 પેટ્રોલ પંપ પ્રભાવિત થયા છે.