ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના સંશોધક ફિયોના રસેલ અને મર્ડોક ચિલ્ડ્રન ઈન્સ્ટીટ્યુટના જોન હાર્ટેનું કહેવું છે કે અલગ અલગ વેક્સિન વધારે એન્ટીબોડી આપી શકે છે.
અલગ અલગ કંપનીની વેક્સિન લેવાથી એન્ટીબોડીમાં વધારો થાય છે
સ્પેન અને બ્રિટનમાં લોકોને અલગ અલગ કંપનીની વેક્સિન અપાઈ છે
ઘણા સારા પરિણામો મળ્યાં હોવાનો સંશોધકોનો દાવો
કોરોનાની અલગ અલગ વેક્સિનને મિક્સ કરીને લઈ શકાય કે નહીં તે અંગે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યાં છે. શું લોકો બૂસ્ટર ડોઝ તરીકે બીજી કોઈ કંપનીની વેક્સિન લઈ શકે કે નહીં તે અંગે પણ ભ્રમની સ્થિતિ છે.
અલગ અલગ કંપનીની વેક્સિન લેવાથી એન્ટીબોડી વધે છે-સંશોધકો
પરંતુ હવે સંશોધકોનો જવાબ આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના સંશોધક ફિયોના રસેલ અને જોન હાર્ટે જણાવ્યું કે તાજેતરમાં સ્પેન અને બ્રિટનમાં મિક્સ વેક્સિન લેનાર લોકોના ડેટા જારી કરવામાં આવ્યાં. આ આંકડા ઘણા આશાજનક છે. આ આંકડા પરથી જણાયું છે કે એક જ કંપનીની વેક્સિન કરતા અલગ અલગ કંપનીની વેક્સિન લેવાથી એન્ટીબોડી ઘણી વધે છે. સંશોધકોના આ તારણ બાદ હવે લાગી રહ્યું છે કે લોકો પહેલા કોવિશિલ્ડ અને પછી ફાઈઝરની વેક્સિન લઈ શકાય કે બીજી કોઈ કંપનીની વેક્સિન લઈ શકે છે. આવું કરનાર લોકોમાં એક વેક્સિનના બન્ને ડોઝની તુલનામાં ઘણી એન્ટીબોડી બને છે. એમ્સમાં કોવેક્સિન ટ્રાયલના પ્રિન્સિપલ શોધક ડો.રાયે જણાવ્યું કે કુદરતી રોગ પ્રતિકાર શક્તિ કોઈ પણ વેક્સિન કરતા વધારે કારગર છે અને ઘણા લાંબા સમય સુધી ઈમ્યુનિટી આપે છે.
જે વિસ્તારમાં 70 ટકા લોકોને સંક્રમણ થયું હોય તેવા વિસ્તારોને ખોલી દેવા જોઈએ
ડો.રાયે જણાવ્યું કે બધા લોકોને વેક્સિનની જરુર નથી. સરકારે એ જેવું જોઈએ કે કયા એરિયામાં કેટલા લોકોને સંક્રમણ થયું છે. સીરો સર્વેલન્સ દ્વારા આ વાતની જાણકારી મળી શકે છે. તેમાં સીરમનો ટેસ્ટ થાય છે. સીરો સર્વેલન્સથી ઈન્ફેક્શનની જાણકારી મેળવ્યા બાદ એવા વિસ્તારોને ખોલી દેવા જોઈએ કે જ્યાં 70 ટકા કરતા વધારે લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો હોય.
કુદરતી ઈમ્યુનિટી સૌથી વધારે અસરકારક
ડોક્ટર રાયે કહ્યું કે જે વિસ્તારોમા 10 થી 15 ટકા લોકોને સંક્રમણ થયું હોય તેમને પ્રોટેક્ટ કરવા માટે જલદીથી જલદી વેક્સિનેશન શરુ થવું જોઈએ. આ રીતે વેક્સિનની અછત પણ પૂરી થઈ જશે. તેમણે કહ્યું કે બધા લોકોનું વેક્સિનેશન થાય તેની મને જરુર લાગતી નથી. અત્યાર સુધી જે પુરાવા મળ્યાં છે તેનાથી પરથી સ્પસ્ટ થાય છે કે એક વારા કોરોનાનો ચેપ લાગ્યાંના 9 મહિના સુધી તેનાથી પ્રોટેક્શન રહે છે. સંક્રમણ બાદ મળેલી ઈમ્યુનિટી કોઈ પણ વેક્સિનની તુલનામાં વધારે લાંબો સમય સુધી રક્ષણ આપે છે.
ફરી વાર સંક્રમણવાળા કેસોનું શું
જે લોકોને બે વાર કોરોના થયો હોય તેમનું શું કરવું આ સવાલ પર ડોક્ટરે રાયે જણાવ્યું કે આવા ઘણા ઓછા કિસ્સા બનતા હોય છે. તેમણે એક ઉદાહરણ આપતા જણાવ્યું કે ગયા વર્ષે મુંબઈના ધારાવી સહિત દિલ્હીમાં કોરોનાના જે હોટસ્પોટ થયા આ વખતે ત્યાં સંક્રમણ ફેલાયું નથી. જે વિસ્તારોમાં 70 ટકા સંક્રમણ થઈ ચુક્યું હોય ત્યાં સામાન્ય જીવન શરુ કરી દેવું જોઈએ.