ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે મુંબઇ ઇન્ડિયન્સની વિરુદ્ઘ ઇન્ડિયમ પ્રીમિયર લીગ (IPL)ના મેચ દરમિયાન ફરી એક વખત સાબિત કરી દીધુ કેમ તે દુનિયાનો સૌથી ચાલક ક્રિકેટર કહેવાય છે.
વાસ્તવમાં, મેચમાં મેજબાન મુંબઇ ઇન્ડિયન્સને ખિલાડી ક્રૂણાલ પંડ્યાએ બૉલિંગ દરમિયાન ધોનીને 'માંકડિંગ'ની મદદથી આઉટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ના થયો. કેદાર જાધવની બેટિંગ દરમિયાન ધોની નૉન સ્ટ્રાઇકર હતો અને પંડ્યા બૉલિંગ કરી રહ્યો છે.
એક બૉલ પર નાખવા દરમિયાન તે અચાનકથી રોકાઇ ગયો અને પરત રનઅપ માટે ચાલ્યો ગયો, પરંતુ ધોનીએ તે સમયે પોતાના બેટને ક્રિઝની અંદર જ રાખ્યુ. જોકે, જાણી ના શકાયુ કે પંડ્યા ધોનીને ચેતવણી આપવા ઇચ્છતો હતો કે ચેન્નાઇના કેપ્ટનને પહેલા જ બૉલરની માનસિક સ્થિતિ જાણી લીધી હતી. રાજસ્થાન રૉયલ્સની આ સિઝનની પહેલી મેચમાં જોસ બટલરને રવિચંદ્રન અશ્વિને 'માંકડિંગ'ની મદદથી આઉટ કર્યો હતો જેના કારણે મોટો વિવાદ થયો હતો.
આ પહેલા પણ ક્રૂણાલ પંડ્યાએ શનિવારના કિંગ્સ ઇલેવન પજાંબના બેટ્સમેન મયંક અંગ્રવાલને 'માંકડિંગ'ને મદદથી આઉટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે આ પહેલા તેણે બેટ્સમેનને ચેતવણી આપવી જોઇએ. વાસ્વતમાં કિંગ્સ ઇલેવન પંજાબની ઇનિંગમાં 10મી ઑવરમાં મુંબઇ ઇન્ડિયન્સના બૉલર ક્રૂણાલ પંડ્યા બૉલિંગ માટે આવ્યો. આ સમયે કિંગ્સ ઇલેવન પજાંબમાંથી કે.એલ.રાહુલ સ્ટ્રાઇક પર હતો જ્યારે નૉન સ્ટ્રાઇકર એન્ડ પર મંયક અગ્રવાલ હતો. ક્રૂણાલ પંડ્યાએ આ ઑવરની ચોથી બૉલમાં નાખ્તા પહેલા જ મંયક અગ્રવાલને ક્રિઝની બહાર નીકળતા જોઇને નૉન સ્ટ્રાઇક એન્ડની તરફ વળી ગયો. તેણે બૉલને વિકેટ પર મારવાની એક્શન કરી, જેનાથી ક્રૂણાલે બેટ્સમેન અગ્રવાલને માંકડ કરવાની ચેતવણી આપવી જોઇતી હતી. જોકે મંયક અગ્રવાલ ક્રિઝની અંદર આવી ગયો.
શું છે 'માંકડિંગ' વિવાદ:
રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે 25 માર્ચના રમાયેલી IPLની મેચમાં પજાંબના કેપ્ટન આર.અશ્વિને બૉલ ફેંક્યા વગર જ નોન સ્ટ્રાઇકિંગ પર રહેલા જોસ બટલરને રન આઉટ કરીને 'માંકડિંગ'ની હવાને તેજી આપી છે. તેણે આઉટ કર્યા પહેલા બટલરે ચેતવણી આપી પણ ન હતી. જે પછી દિગ્ગજ ખિલાડીઓ સહિત ક્રિકેટ નિષ્ણાતોએ અશ્વિનની આ કારનામાને ખેલ ભાવના વિરુદ્ઘ ગણાવ્યુ છે.