સૂર્યદેવ 22 જૂન સવારે 11.42 પર આર્દ્રા નક્ષત્રમાં બિરાજમાન થયા છે. આ નક્ષત્રમાં સૂર્ય હવે 6 જુલાઈ સુધી રહેશે. સૂર્ય આ સમયે બુધની રાશિ મિથુનમાં છે.
સૂર્યે આર્દ્રા નક્ષત્રમાં કર્યો પ્રવેશ
હવે આ 3 રાશિઓની ચમકી ઉઠશે કિસ્મત
જાણો શું થશે ફાયદો
ગ્રહોના રાજા સૂર્યએ આજે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. સૂર્યદેવ 22 જૂન સવારે 11.42 મિનટ પર આર્દ્રા નક્ષત્રમાં બિરાજમાન થઈ ગયા છે. આ નક્ષત્રમાં સૂર્ય હવે 6 જુલાઈ સુધી રહશે. સૂર્ય આ સમયે બુધની રાશિ મિથુનમાં છે. જ્યોતિષોનું કહેવું છે કે આ સૂર્યનો આ નક્ષત્ર પરિવર્તન ઘણી રાશિઓના જાતકો માટે કિસ્મત ચમકાવનારૂ રહેશે. સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં જવાના કારણે ત્રણ રાશિઓના દિવસ બદલાઈ જશે.
સૂર્યના નક્ષત્ર પરિવર્તનનું મહત્વ
હિન્દૂ ધર્મમાં સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે આ સમયે ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુની પુજા કરવાથી લાભ મળશે. આ સમયે ભગવાનને ખીર-પુરી અને કેરીના ફળનો ભોગ લગાવવો ઉત્તમ માનવામાં આવે છે.
આ ત્રણ રાશિઓને થશે લાભ
મિથુન
સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી મિથુન રાશિના જાતકોને ખાસ લાભ થશે. આર્થિક મોર્ચે મજબૂત થશે. નવા કાર્યો શરૂ કરવા માટે સમય ખૂબ જ શાનદાર છે. પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટની પ્રબલ સંભાવના છે. કાર્યસ્થળ પર તમારા નામની પ્રશંસા થશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યના નક્ષત્ર પરિવર્તન લાભદાયક છે. કમારા લાંબા સમયથી રોકાયેલા કાર્યો પુરા થશે. કાર્યસ્થળ પર પદોન્નતિ અને પ્રશંસા બન્નેનો યોગ છે. કોઈ નવું કામ શરૂ કરવા અથવા નવું વાહન ખરીદવા માટે પણ સમય ખૂબ જ સારો છે. આ નક્ષત્ર પરિવર્તન બાદ તમારા દુશ્મનોની રણનીતિઓ વિફલ થશે.
કન્યા
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે પણ શુભ રહેવાનું છે. આવકના સ્ત્રોત વધશે. મહેનતનું પર્યાપ્ત ફળ તમને મળશે. નોકરી-વ્યાપારમાં સફળતાનો યોગ છે. સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા લોકોને આ દિવસોમાં કોઈ ખુશ ખબર મળશે.