જ્યોતિષચાર્ય અનુસાર સૂર્ય એક રાશિમાં એક માસ રહે છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે જે 15 જુલાઇ સુધી રહેશે. જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એ તિથિ સૂર્ય સંક્રાન્તિ કહેવામાં આવે છે. મિથુન સંક્રાન્તિના દિવસે પવિત્ર નદી માં સ્નાન અને દાન કરવાનું ઘણું મહત્વ છે.
ભગવાન શ્રી રામે પણ શ્રી આદિત્ય હૃદય સ્ત્રોતમાં ભગવાન ભાસ્કરની પૂજા બાદ રાવણ પર વિજય પ્રાપ્ત કરી હતી. આ દિવસે દાનનું ઘણું મહત્વ છે. 15 જૂનથી 15 જુલાઇ સુધી સૂર્ય મિથુન રાશિમાં ગોચરના પ્રત્યેક રાશિઓ પર પ્રભાવ પાડી શકે છે. અહીં જાણો કઇ રાશી પર સુર્યના રાશિ પરિવર્તનની શુ થશે અસર.
મિથુન સંક્રાન્તિનું રાશિઓ પર પડશે આ પ્રભાવ
1) મેષ રાશિ: ધનની પ્રાપ્તિ થશે. રાજનૈતિક રૂપે પણ લાભ મળે. વ્યયમાં વધારો થાય. કોઇ નવા વ્યયસાયિક કાર્યનો પ્રારંભ કરશો. ગૌ માતને ગોળ ખવડાવવો. વિદ્યાર્થીઓને સફળતા મળે.