RSSના પ્રમુખ મોહન ભાગવત મંગળવારે સવારે પોતે મુંબઇ સ્થિત મિથુવ ચક્રવર્તીના ઘરે ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મિથુને નાગપુર જઇને જ્યારે મોહન ભાગવતની મુલાકાત લીધી હતી ત્યારે તેમને ઘરે આવવાનુ ઇન્વાઇટ આપ્યુ હતુ. બંનેની આ મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવે છે. જો કે મિથુને આ દરેક અટકળોને નકામી ગણાવી છે.
મુલાકાત પર બોલ્યા મિથુન
મોહન ભાગવત સાથેની મુલાકાત પર મિથુન ચક્રવર્તીએ સફાઇ આપતા કહ્યું કે તેમની સાથે મારો આધ્યાત્મિક લગાવ છે. મારી તેમની સાથે લખનઉમાં મુલાકાત થઇ હતી. બાદમાં મે તેમને કહ્યું હતુ કે તે જ્યારે પણ મુંબઇ આવે તો મારા ઘરે જરૂર આવે. આ મિટીંગને લઇને કોઇ પણ અટકળો ન લગાવવામાં આવે.
મહત્વનું છે કે, બંગાળમાં જન્મ લેનારા મિથુનમાં ડિસ્કો ડાન્સરથી લઇને સામાજીક કાર્યકર્તા અને રાજનેતા સુધીનો અનુભવ સામેલ છે. તે રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત તે છે કે તૃણમુલ કોંગ્રેસે જ તેમને રાજ્યસભા મોકલ્યા હતા પરંતુ શારદા કૌભાંડ બાદ મિથુને રાજીનામુ આપી દીધુ હતુ.
જ્યારે બંગાળ ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે બીજેપી પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે કોઇ લોકલ ફેસની તલાશમાં છે. મિથુન અને મોહનભાગવતની આ મુલાકાત આમ તો ઘણુ કહી જાય છે. પહેલા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગૂલી રાજનીતિમાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ પરંતુ તેને હાર્ટ અટેક આવતા ગાંગૂલીના નામને રાજનીતિ સાથે જોડવામાં નથી આવી રહ્યું.
બીજીલ તરફ બીજેપી સતત આ દાવો કરી રહી છે કે બંગાળની ચૂંટણીમાં તે બંગાળનો ચહેરો જ સામે મુકશે. મમતાના શાસનને ઉખાડીને ફેંકી દેવાનો દાવો ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે.