બોલિવૂડ એક્ટર સુશાંત સિંહે આત્મહત્યા કરી લેતા ટેલિવિઝન અને બોલિવૂડ જગત આઘાતમાં છે. તમામ બોલિવૂડ સેલેબ્સે તેની મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે વેટરન એક્ટર મિથુન ચક્રવર્તી પણ આ ઘટનાથી ઘણાં દુઃખી છે. તેમણે હાલમાં જ એવી ઘોષણા કરી છે કે, સુશાંતના નિધન અને કોરોનાના કહેરને જોતા તેઓ આ વર્ષે તેમનો જન્મદિવસ સેલિબ્રેટ નહીં કરે. મિથુનના દિકરા નમાશીએ આ અંગે જાણકારી આપી છે.
સુશાંતની મોતથી બોલિવૂડ શોકાતૂર
તો હવે મિથુન ચક્રવર્તીએ બર્થડે સેલિબ્રેટ ન કરવાનો લીધો નિર્ણય
નમાશીએ કહ્યું- હાલ કોરોના મહામારી અને અમારા પ્રિય સાથી સુશાંતની અચાનત મોતને કારણે મેં અને મારા પિતાએ જન્મ દિવસ પર કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન ન કરવાનો નિર્ણય લીધો છે. અમે લોકોને અપીલ કરી રહ્યાં છે કે, બને એટલું ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો.
આ પહેલાં સુશાંતને યાદ કરતાં નમાશીએ ટ્વિટ કરીને લખ્યું હતું- સુશાંત દ્વારા કરાયેલા સારાં અને નેક કામને યાદ કરો. એકબીજા પર આરોપ ન લગાડો. કોઈનું દુઃખદ અવસાન થયું છે એવામાં તમે તમારા રોટલા ન શેકો. લોકોને જણાવો કે તેઓ કઈ રીતે માનસિક તણાવથી છૂટકારો મેળવી શકે છે. લોકો સુધી પહોંચો, ફરિયાદ પછી કરો. પહેલાં મદદગાર બનો.
Respect the deceased. Celebrate the good and inspiring work left behind. Don’t turn this into a blame game. Don’t take out your frustration when someone has tragically died. Share sources where people can deal with their mental illness. Reach out. Complain later. Be helpful first
તમને જણાવી દઈએ કે, નમાશી ટૂંક સમયમાં અમરીન કુરેશીના સાથે ડિરેક્ટર રાજકુમાર સંતોષીની રોમેન્ટિક કોમેડી ફિલ્મ બેડ બોયથી બોલિવૂડ ડેબ્યૂ કરવાનો છે. આ ફિલ્મ મોહિત સૂરીએ લખી છે અને દિવાળી 2020માં ફિલ્મ રિલીઝ થશે.